| રામરસાયન- ફળપ્રદ
ઇદં શરીરં શત સંધિજર્જરં પતત્યવશ્યં પરિણામદુર્બહમ્ |
કિમૌષધં પૃચ્છસિમૂઢદુર્મતે નિરામયં રામરસાયનં પિબ ||
સેંકડો સ્થાનોએ જર્જરિત થયેલું અને અંતમાં દુર્બળ થયેલું આ શરીર અવશ્ય નષ્ટ થાય છે. એટલે હે મૂર્ખ દુર્મતે! ઔષધની પૃચ્છા કેમ કરે છે? હવે માત્ર શાશ્વત સુખદાયક રામરસામૃત જ પીવું. (મૃત્યુકાળે)
સદ્યઃ ફલતિ ગાંધર્વમાસમેકં પુરાણકં |
વેદાઃ ફસ્લંતિ કાલેષુ જ્યોતિર્વેદ્યો નિરંતર ||
ગાયન, તત્કાળ પુરાણ એક માસમાં, વેદ દીર્ઘકાળે ફળપ્રદ થાય છે. પરંતુ જ્યોતિષ અને વૈદકશાસ્ત્ર તો નિરંતર ફળપ્રદ થાય છે. |