| સંધ્યાકાળે
એતાની પંચ કર્માણી
સંધ્યાયા વર્જયેદ્ બુધઃ ।
આહાર મૈથુનં નિદ્રા
સંપાઠં ગતિમધ્વનિ ।।
સમજુ માણસે સંધ્યાકાળે આહાર, મૈથુન, નિદ્રા-ઊંઘ, શાસ્ત્રાદિનું અધ્યયન અને માર્ગમાં ચાલવું, આ પાંચ કર્મો ન કરવા.
રાત્રે જમવું
રાત્રૌ ચ ભોજનં કુર્યાત્પ્રથમપ્રહરાંતરે ।
કિશ્ચિદુનં સમશ્નીયાદુર્જરં ચાત્રવર્જયેત્ ।।
રાત્રે પ્રથમ પ્રહરમાં જમવું અને કંઈક ઓછું જ જમવું. એ વખતે ઘણી વારે પચે એવાં પદાર્થો ખાવા નહીં. |