|
પરવળ
આયુર્વેદિય ઔષધ 'પટોલ' એ જ આપણા પરવળ. આ પરવળ શાકોમાં શ્રેષ્ઠ ગણાય છે. દક્ષિણ ભારતમાં સર્વત્ર થાય છે. પરવળનો વેલો ટીંડોરા જેવો, પરંતુ પાંદડાં લાંબા હોય છે. પરવળ મીઠા અને કડવા એમ બે જાતના થાય છે. પરવળનું શાક ઘીમાં બનાવેલું પૌષ્ટિક અને સર્વ રોગોમાં ઉત્તમ પથ્યકર છે. પરવળ પાચક, પથ્ય, સ્વાદિષ્ટ, લઘુ, હૃદયરોગોમાં હિતકર, પિત્તને શાંત કરનાર, વાજીકર છે તથા ઉધરસ, રક્તદોષ, જ્વર, ત્રિદોષ અને કૃમિઓનો નાશ કરે છે. તેનાં પાંદડાં પિત્તનાશક, વેલો કફનાશક અને મૂળ રેચક છે.
- વૈદ્ય મનુભાઈ ગૌદાની
|