કોલંબો 3, ઓગષ્ટ
શૃંખલા જીત્યા બાદ આત્મ વિશ્વાસથી ઓત-પ્રોત ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે એક દિવસીય મેચમાં જીતની આ લયને બરકરાર રાખવા મેદાને જંગ ખેલશે.
પાંચ મેચોની આ શૃંખલામાં ભારતનો શરૂઆતથી જ દબદબો રહ્યો હતો. ભારતને ફક્ત એક મેચમાં નવ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
ચોથી વન ડે છ વિકેટે જીત્યા બાદ ભારત 3.1થી આગળ આવી ગયું છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ આ શૃખલા જીત સાથે ફુરી કરવા માંગે છે.
બીજી બાજુ શ્રીલંકાએ ફક્ત એક મેચમાં સારુ પ્રદર્શન કર્યું છે. જેથી તે હારનું અંતર ઓછું કરવા માટે મેદાનમાં ઉતરશે.