Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 04:38:14 AM IST
 

જાણો શ્રી કૃષ્ણ અને રાધાનાં જન્મનું ગૂઢ રહસ્ય

Aug 09, 2012 Offbeat
 
Tags:   Special day Janmashtami Sri krishna Radha Lord krishna Mystry Hindu Astrology Krishna Krishna Janmashtami Spiritual comment     E-Mail     Print    
 
Viewed: 14452
Rate: 5.0
Rating:
Bookmark The Article

મથુરા, તા. 09

ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં જણાવ્યું છે કે જ્યારે જ્યારે આ સંસારમાં ધર્મની હાનિ થશે અને અધર્મની બોલબાલા થવા લાગશે ત્યારે ત્યારે ધર્મની સ્થાપના માટે તેઓ એટલે કે ભગવાન વિષ્ણુ અવતાર લેશે. આ  કારણથી મહાભારતકાળમાં ભગવાન વિષ્ણુએ આઠમાં અવતાર તરીકે શ્રી કૃષ્ણના રૂપમાં ધારણ કર્યો હતો.

માન્યતા છે કે ભગવાન વિષ્ણુ જ્યારે અવતાર લે છે માતા લક્ષ્મી પણ અવતાર ધારણ કરીને વિષ્ણુ ભગવાનનો સાથ આપે છે. રામના અવતાર સમયે ભગવાનની સેવા માટે લક્ષ્મીએ સીતાનું રૂપ ધારણ કર્યું અને કૃષ્ણાવતાર સમયે રાધાનાં રૂપમાં લક્ષ્મીનો અવતાર ધારણ કર્યો હતો.

બંને અવતારમાં અદભુત વિશેષતા છે કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો અનુપમ પ્રેમ પ્રમાણ. ભગવાન રામનો જન્મ ચૈત્ર શુક્લ નવમી તિથિનો થયો હતો. આના ઠીક એક મહિના પછી એટલે કે વૈશાખ શુક્લ નવમી તિથિના રોજ સીતા પ્રકટ થયા. બંનેના જન્મમાં તિથિ પ્રમાણે એક મહિનાનું અંતર હતું. જ્યારે શ્રી કૃષ્ણ અને રાધાના જન્મ સમયે તિથિ પ્રમાણે માત્ર 15 દિવસોનો અંતર છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ કૃષ્ણ પક્ષ આઠમ તિથિનો થયો હતો તો રાધાએ શ્રાવણ માસમાં શુક્લ પક્ષની આઠમ તિથિના રોજ જન્મ ધારણ કર્યો હતો.

આ બંને અવતારમાં ભગવાનને વિયોગ સહન કરવો પડ્યો હતો. આના લીધે તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું છે કે, નારદને એવો અભિમાન થઈ ગયો હતો કે તેઓ કામથી મુક્ત (કામ-વાસના) થઈ ગયા છે. વિષ્ણુ ભગવાને નારદનો આ અભિમાન ભંગ કરવા માટે એક માયાવી નગરીનું નિર્માણ કર્યું.

આ નગરીની રાજકુમારીને જોઈને નારદ મુનિને પણ મનમાં લગ્ન કરવાની પ્રબળ ઈચ્છા જાગી. તેઓ વિષ્ણુ ભગવાન પાસે સુંદર રૂપની માંગણી કરવા પહોંચી ગયા. વિષ્ણુ ભગવાને નારદને જણાવ્યું કે તેઓને હરિ રૂપ આપે છે.

આ રૂપ લઈને જ્યારે નારદ રાજકુમારીનાં સ્વંયવરમાં પહોંચ્યા તો તે કન્યાએ નારદને છોડીને ભગવાન વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી. નારદ ત્યાંથી ઉદાસ થઈને પરત ફરી રહ્યા હતા રસ્તામાં એક જળાશયમાં પોતાનો ચહેરો જ્યો અને ખુદ નારદ હેરાન રહી ગયા કારણ કે તેમને ચહેરો વાંદરા જેવો લાગી રહ્યો હતો.

હરિનો એક અર્થ થાય છે વિષ્ણુ અને બીજો અર્થ છે વાંદરો. ભગવાન વિષ્ણુએ નારદને વાનરનું રૂપ આપ્યું હતું. નારદે ભગવાન વિષ્ણુની ચાલને સમજી ગયા અને ખૂબ ક્રોધે ભરાયા હતા.

વિષ્ણુ ભગવાનની પાસે પહોંચીને નારદે તેમને એવો શ્રાપ આપ્યો કે તેમને પત્ની વિયોગ સહન કરવો પડશે. આ કારણે સીતા અને રામનો વિયોગ સહન કરવો પડ્યો હતો. આ શ્રાપને લીધે કૃષ્ણ અને રાધા પણ મળી ન શક્યા.

આ ન્યૂઝ પર પણ કરો નજર:

શા માટે મોર મુકુટ ધારણ કરે છે શ્રી કૃષ્ણ ?
તમે કદી પણ સાચા મનથી એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે શા માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુકુટ પર મોરપીંછ ધારણ કરતા હતા, આ રહસ્ય વિશે અહીં ખાસ છણાવટ કરાઈ છે. આની પાછળના કારણો...

એક વર્ષ સુધી આ મંત્રનો જપ કરો, ઘરમાં બાળકની કિલકારી સંભળાશે
લગ્ન થયાને ઘણાં વર્ષો વીતવા છતા તમારું દાંપત્ય જીવન બાળકો વીના સુનૂં છે. એવું કહેવાય છે કે જે ઘરમાં નાના બાળકો કિલ્લોલ કરતા ન હોય તે સ્મશાન સમાન લા...

મથુરાની પ્રસિદ્ધ 'લઠમાર હોળી' પૂર્વે આજે ' લડ્ડુ માર હોલી'
આ વાત સાભંળવામાં ભલે ટાઢા પહોરના ગપ્પા લાગે પણ સો ટકા સાચી છે. ઉત્તર પ્રદેશના મથુરામાં રાધારાણીની નગરી બરસાનામાં જ્યાં લાઠીઓથી હોળી રમાય છે...

ભગવાન વિષ્ણુને પ્રિય એવા માઘ માસની શરૂઆત
હિન્દુ કેલેન્ડર મુજબ આજથી મહા મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. પુરાણ તેમજ શાસ્ત્રો અનુસાર પોષ મહિનાથી પૂનમ મહા મહિનાથી પૂનમ સુધી મહા મહિનામાં નર્મદા, ગંગા, યમુના,...

ખરાબ આદતો છોડાવનારી 'મોહિની એકાદશી'
વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે 'મોહિની એકાદશી'ના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી 02 મે એટલે કે આજના શુભ દિવસે આવે છે. શાસ્રો અને પુરાણો ...
 
વૈશાખ પૂનમ પર સ્નાન કરવાથી મળે છે અનેકગણું પુણ્ય
જો તમે એકસાથે એક મહિનાનું પુણ્ય કમાવા ઈચ્છતા હોવ તો 5મી મેના દિવસે એટલે કે આજના દિવસે પંચાગ પ્રમાણે આ વર્ષે વૈશાખ પૂર્ણિમા આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે...

એ જાણવા કદી પ્રયત્ન કર્યો છે કે, શા માટે લક્ષ્મીજી વિષ્ણુના દબાવે છે ચરણકમળો!
તમે હંમેશાં જોયું હશે કે લક્ષ્મી જી ભગવાન વિષ્ણુના ચરણોને દબાવતી હોય છે. આવું જોઈને તમારા મનમાં એ જાણવાની જિજ્ઞાસા ઉઠતી હશે કે આખર લક્ષ્મીજી વિષ્ણુ ભ...

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com