Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 10:21:20 PM IST
 

બટાકા પૌંઆ ખાધા બાદ ચાર વ્યક્તિને ઝાડા-ઉલટી

Aug 12, 2012 Ahmedabad > Gandhinagar
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 172
Rate: 0
Rating:
Bookmark The Article

ગાંધીનગર, શનિવાર

ડભોડા હનુમાનજી મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે દરવર્ષે લોકમેળો ભરાય છે. આ મેળામાં ગયેલી ચાર વ્યક્તિઓએ બટાકા પૌઆ ખાધા બાદ તેમને ખોરાકી ઝેરની અસર થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ચાર વ્યક્તિઓ પૈકી એક ૧૧ વર્ષનો કિશોર હોવાનું જાણવા મળ્યુ છે. પ્રાપ્ત વિગતો મુજબ, અસરગ્રસ્તો ડભોડાના કુંડી અને દંતાલી વાસમાં રહેતા હોવાનું જાણવા મળ્યુ છે. પ્રથમ તેઓને સ્થાનિક પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ સાંજે તેઓની તબીયત લથડતા તેઓને વધુ સારવાર માટે ૧૦૮ મારફત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઝાડા ઉલટીની ઝપટમાં આવેલા લોકોના ઘરે ક્લોરીનની ટીકડીઓ તથા ઓ.આર.એસનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com