ન્યૂયોર્ક 17, ઓગસ્ટ
ન્યૂયોર્કના પ્રખ્યાત વિશ્વ વિદ્યાલય, ધ ન્યૂ સ્કૂલે ભારતીય મૂળના અમેરીકન અર્થશાસ્ત્રી સંજય રેડ્ડીને ઈન્ડીયા ચાઈના ઈંસ્ટીટ્યૂટ(આઈસીઆઈ)ના નિર્દેશક તરીકે નીયુક્તિ આપી છે. રેડ્ડી સહીત આ સંસ્થામાં અન્ય પણ બે નિર્દેશકો છે.
સ્કૂલે જાહેરાત કરી હતી કે અર્થશાસ્ત્રના એસોશિએટ પ્રોફેસર રેડ્ડી અને રાજનીતીના પ્રોફેસર માર્ક ફ્રેજર નવા અનુસંધાન કાર્યક્રમોની શરૂઆત કરીને તથા અન્ય વૈશ્વિક સંસ્થાઓ સાથે મિત્રતા કેળવી ભારત, ચીન અને અમેરીકા વચ્ચે આઈસીઆઈના સબંધો સ્થાપીત કરશે.
રેડ્ડીએ જણાવ્યું હતું કે ભારત અને ચીન વિકાસ પામી રહેલા રાષ્ટ્રો અને રાજ્યોનું પ્રતિનીધીત્વ કરે છે, જેમની અમેરીકામાં વિધ્વતા અને શિક્ષણને નજર અંદાજ નથી કરવામાં આવતી. તે લોકો દુનિયાની અર્થ વ્યવસ્થા, રાજનિતી અને સમાજને નવી દિશા આપવાનું કામ કરે છે.