નવી દિલ્હી 18, ઓગસ્ટ
પાછળના વર્ષોમાં શારીરીક સબંધ બાંધવાની ના પાડતા છૂટાછેડાના કેસ વધવા લાઘ્યાં છે. પતી અને પત્ની બંને નોકરી અથવા કામ કરે છે કાર્યાલય અને વ્યાપાર કાર્યના થાકની અસર યૌન સબંધો પર તેજીથી પડવા લાગી છે. જેના કારણે પરીવારમાં વિવાદ અને ત્યારબાદ છૂટાછેડા. ભારત જેવા દેશમાં આ એક નવી સમસ્યાં બની ગઈ છે.
ભારતીય અદાલતે શારીરીક સબંધ ન બનાવવાને છૂટાછેડાનું મુખ્ય કારણ દર્શાવ્યું હતું. અદાલતે આને માનસીક વીટંબણા માની છૂટાછેડા માટે માન્ય ગણાવી હતી. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા મહાનગરોમાં આ રીતે છૂટાછેડાના કેસ વધી રહ્યાં છે. હાલમાં જ દિલ્હીમાં એક મહિનામાં આવા ત્રણ છૂટાછેડા મંજુર કરવામાં આવ્યાં છે. આ દરેકમાં શારીરીક સબંધ નહી બનાવવો મુખ્ય કારણ હતું.
ન્યાયાધીશ વિપિન સાંધીએ હમણાં જ ફેમીલી કોર્ટમાં એક આવા કેસ પર આ બાબતને સાચી ઠેરવી છૂટાછેડા મંજુર કર્યાં છે. યુવા દંપત્તીઓમાં શારીરિક સબંધોમાં મધુરતા ન હોવાના કારણે છૂટાછેડા ખુબ જ વધી રહ્યાં છે.