Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 06:33:24 AM IST
 

અજમેર સહિત દેશભરમાં ઈદની ઉજવણી

Aug 20, 2012 Offbeat
 
Tags:   Ramzan Id Id Ajmer Ajmer Sharif Islam comment     E-Mail     Print    
 
Viewed: 1713
Rate: 3.0
Rating:
Bookmark The Article

અજમેર, 20 ઓગસ્ટ

મુસ્લિમોનાં પવિત્ર તહેવાર રમજાન ઈદનાં અવસર પર અજમેરનાં ખ્વાજા ગરીબની દરગાહનાં દરવાજા ખોલવામાં આવ્યાં છે. અજમેરમાં એવી માન્યતા છે કે દરગાહમાં આ દરવાજાની અંદર જનારને જન્નત પ્રાપ્ત થાય છે.

અજમેર દરગાહનાં દરવાજા સવારે 4.30 વાગે ખોલવામાં આવ્યાં હતાં, જ્યાં પહેલેથી જ લોકો રાત્રિથી લાઈન લગાવીને ઉભાં હતાં. આ દરવાજાની અંદર જવા માટે માત્ર દેશનાં જ નહીં વિદેશનાં મુસ્લિમો પણ આવે છે.

એવું કહેવાય છે કે અજમેરનાં ખ્વાજા નવાઝ પણ આ જ દરવાજાનો ઉપયોગ કરતાં હતાં અને તેમણે પોતાના શિષ્યોને પણ આ દરવાજા વિશે જણાવ્યું હતું. દરગાહનો આ દરવાજો 'જન્નતી દરવાજો' તરીકે ઓળખાય છે.

આ દરવાજો વર્ષમાં ચાર વખત ખોલવામાં આવે છે, જેમાંથી ત્રણ દિવસ આ દરવાજો એક દિવસ પૂરતો જ ખૂલ્લો રખાય છે અને ગરીબ નવાઝ ઉર્સનાં અવસર પર આ દરવાજો 6 દિવસો સુધી ખુલ્લો રાખવામાં આવે છે. ઈદને લઈને મુંબઈ અને બેંગ્લોરમાં કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com