લોકડાઉન 4.0ને લઈ મોદી સરકારે કરી મોટી જાહેરાત, 14 દિવસ વધારી 31મે સુધી લંબાવાયુ

કોરોના વાયરસને લઈને લોકડાઉન 4.0 લાગુ કરવામાં આવ્યું છે. મોદી સરકાર તરફથી સમગ્ર દેશમાં લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવ્યું છે. ચોથા તબક્કાના લોક્ડાઉનને વધુ 14 દિવસ સુધી લંબાવવાઈ દેવાયું છે. સાથે જ મોદી સરકારે કેટલીક છુટછાટ પણ આપી છે. રાજ્ય સરકારો પણ નક્કી કરી શકશે નિયમો.
આ દરમિયાન શું શું છુટછાટ આપવામાં આવશે તેની જાણકારી પણ આપવામાં આવશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદીએ લોક્ડાઉનને લઈને કહ્યું હતું કે, આ વખતનું લોકડાઉન અલગ રૂપ અને રંગનું હશે. તેવી લોકોને એ વાતનો ભારે ઈંતેજાર છે કે, લોકડાઉન 4.0માં શું નવુ હશે. થોડી જ વારમાં કેન્દ્ર સરકાર તરફથી આ બાબતેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
Ministry of Home Affairs (MHA) issues guidelines on measures to be taken by Ministries/Departments of Government of India, State Governments/UT Governments & State/UT authorities for containment of COVID19. #LockDown4 will remain in effect till 31st May 2020. pic.twitter.com/10WnwnWfte
— ANI (@ANI) May 17, 2020
આજે લોકડાઉન 3.0નો છેલ્લો દિવસ હતો. આજે 17મી મે ના રોજ લોકડાઉનનો ત્રીજો તબક્કો પુરો થઈ રહ્યો હતો. પરંતુ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ હજી સંપૂર્ણ નિયંત્રણમાં ના હોવાથી કેન્દ્ર ફરી એકવાર લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. સરકારે લોકડાઉન 4.0 14 દિવસ વધારીને 31 મે સુધી કરી દીધું છે. જોકે આ લોકડાઉન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ કહ્યા પ્રમાણે નવા જ રંગ અને રૂપનું છે.
સરકારે લોકડાઉન 4.0 માટે ગાઇડ લાઇન બહાર પાડી છે. ચોથા તબક્કાનાં આ લોકડાઉનમાં લોકોને અનેક પ્રકારની છુટછાટ આપવામાં આવી છે. નવા નિયમોમાં આર્થિક ગતિવિધિઓને સ્પીડ આપવા માટે છુટમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ લોકોનાં આવન જાવન પર પણ અનેક પ્રકારનાં પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે.
અગાઉ આજે જ મહારાષ્ટ્ર, પંજાબ અને તમિળનાડુની રાજ્ય સરકારોએ પોતાને ત્યાં લોકડાઉન 31મે સુધી વધારવાની જાહેરાત કરી દીધી હતી. કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ત્રણ રાજ્યોની સરકારોએ આ નિર્ણય લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન