વેક્સીન પહેલાં પોતાના જ મોતે મરશે કોરોના, આ વૈજ્ઞાનિકે કર્યો ચોંકાવનારો દાવો

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના એક કેન્સર પ્રોગ્રામના ડાયરેકટર રહી ચૂકેલા પ્રોફેસર કરોલ સિકોરાએ કોરોના વાયરસને લઇ મોટો દાવો કર્યો છે. સિકોરાએ કહ્યું કે કોરોના વાયરસની વિરૂદ્ધ દુનિયાભરમાં વેકસીન માટે જંગ ચાલી રહી છે તે પહેલાં જ તે ખત્મ થઇ શકે છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ વેક્સીન ડેવલપ થાય તે પહેલાં જ આપોઆપ ખત્મ થઇ શકે છે.
સિકોરાએ કહ્યું કે કોરોના વાયરસની વિરૂદ્ધ દરેક જગ્યાએ એક જેવી જ પેટર્ન દેખાય રહી છે. મને શંકા છે કે આપણી અંદર જેટલો અંદાજો લગાવામાં આવ્યો હતો તેના કરતાં વધુ રોગ પ્રતિકારક ક્ષમતા છે. આપણે આ વાયરસને સતત ધીમો કરવાનો છે પરંતુ આ આપોઆપ જ ખૂબ નબળો પડી શકે છે. આ મારું અનુમાન છે કે આવું શકય થઇ શકે છે.
There is a real chance that the virus will burn out naturally before any vaccine is developed.
We are seeing a roughly similar pattern everywhere – I suspect we have more immunity than estimated.
We need to keep slowing the virus, but it could be petering out by itself.
— Professor Karol Sikora (@ProfKarolSikora) May 16, 2020
તેમણે કહ્યું કે આપણે આપણું અંતર બનાવીને રાખવાનું છે અને આશા કરવાની છે કે આંકડો શ્રેષ્ઠ હશે. આની પહેલાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ચેતવણી આપી હતી કે કોરોના વાયરસનું લાંબા સમય સુધી સમાધાન માત્ર વેક્સીન કે દવાથી જ શકય છે. તેમણે કહ્યું કે સૌથી ખરાબ સ્થિતિ એ છે કે આપણે કયારેય કોરોના વાયરસની વેક્સીન જ ના શોધી શકીએ.
કોરોના વાયરસથી 3 લાખથી વધુ લોકોના મોત
ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યા બાદથી જ દુનિયાભરના વેક્સીન બનાવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધી દુનિયાભરમાં કોરોના વાયરસથી 3 લાખથી વધુ લોકોના મોત થયા છે અને 40 લાખથી વધુ સંક્રમિત છે. કોરોના વાયરસની વેક્સીન બનાવા માટે દુનિયાભરમાં પ્રયાસ ચાલી રહ્યો છે.
ભારતીય મૂળના બ્રિટિશ અધિકારી આલોક શર્માએ રવિવારના રોજ કહ્યું હતું કે એ શકય છે કે યુકે કયારેય કોવિડ-19ની વેકસીન શોધી જ નહીં શકે. તેમણે નિયમિત પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહ્યું કે આપણા વૈજ્ઞાનિકો અથાગ પ્રયાસ કરી રહ્યા છે છતાંય શકય છે કે આપણે કયારેય સફળતાપૂર્વક કોરોના વાયરસની વેકસીન જ ના શોધી શકીએ. ભારતવંશી મંત્રીએ આગળ કહ્યું કે દુનિયાને બે મોટા ફ્રંટરનર જેમને વેક્સીન બનાવાની છે તે બ્રિટનમાં છે – ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ઇમ્પીરિયલ કોલેજ લંડન.
આ વીડિયો પણ જુઓ : 31 મેના રોજ PM મોદી કરશે મન કી બાત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન