ન્યૂઝીલેન્ડ સામે T-20માં ભારતની હાર માટે હરભજને આ ક્રિકેટર વિરુદ્ધ લગાવ્યો ગંભીર આરોપ

રવિવારે ન્યૂઝીલેન્ડ સામે છેલ્લા ટી-20 મેચમાં ક્રુણાલ પંડ્યાની સાથે મળીને દિનેશ કાર્તિકે ટીમ ઇન્ડિયાને જીતની નજીક લાવી દીધી હતી. પરંતુ જીતના અપાવી શક્યા.
હવે પ્રશ્ન એ છે કે છેલ્લી ઓવરમાં ટિમ સાઉદી બોલિંગ કરી રહ્યાં હતા ત્યારે ત્રીજા બોલે દિનેશ કાર્તિકે સિંગલ લેવાની મનાઇ ના કરી હોત તો કદાચ આ મેચ અને સીરીઝનું પરિણામ કઇક અલગ જ આવત. ક્રિકેટર હરભજન સિંહે કાર્તિકના છેલ્લા ઓવરમાં સિંગલ ન લેવાના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો છે.
ઉલ્લેખનિય છે કે મેચની છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર કાર્તિકે શોટ માર્યો, અને પંડ્યા ત્યાર બાદ એક રન લેવાના પ્રયત્નમાં દોડીને સામે ગયો, પણ કાર્તિકે તેને પરત મોકલી દીધો અને સ્ટ્રાઇક પોતાની પાસે રાખી.
જે સમયે આ ઘટના બની ત્યારે ટીમને જીતવા માટે 14 રનોની જરૂર હતી. મેચની આવી પરિસ્થિતિ ઉભી થાય જ્યાં એક એક રન મુલ્યવાન ગણાતો હોય તેવા સમયે કાર્તિક દ્વારા રન નહી લેવાના નિર્ણય પર પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે.
ત્રીજા બોલ પર રન ન લેવાના નિર્ણય ને ખોટો સાબિત કરવાનું એક બીજુ પણ નક્કર કારણ છે. સાઉદીના પાછલા ઓવરમાં ક્રુણાલ પંડ્યાએ ઘણા રન બનાવ્યા હતા. અને સારી બેટિંગ કરી હતી. પંડ્યાએ જ સાઉદીની ઓવરમાં
રન ફટકારી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી.
હરભજનનો સવાલ યોગ્ય છે. કે આ નિર્ણય કાર્તિકે કેમ લીધો. તેનો જવાબ આપવો જોઇએ. લોકોમાં ચર્ચા છે કે આ રીતે જ મેચ હારી જવાય છે. અને એક ખોટા નિર્ણય ને કારણે મેચ હારી પણ જવાય છે.