ICJમાં કુલભૂષણ જાધવ મામલે ભારતની જીત થતાં PM મોદીએ કહી આ મોટી વાત

આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાન જેલમાં બંધ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે. સાથે જ ભારતને કાઉન્સિલર એક્સેસ આપવા માટે કહ્યું છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતની જીત થતાં દેશભરમાં ખુશીનો માહોલ છે. તો વડા પ્રધાન મોદીએ પણ આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ આ નિર્ણયને સત્ય અને ન્યાયની વાત જણાવી છે. પીએમ મોદીએ આઈસીજેને તથ્યો આધારિત નિર્ણય સંભળાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
We welcome today’s verdict in the @CIJ_ICJ. Truth and justice have prevailed. Congratulations to the ICJ for a verdict based on extensive study of facts. I am sure Kulbhushan Jadhav will get justice.
Our Government will always work for the safety and welfare of every Indian.
— Narendra Modi (@narendramodi) July 17, 2019
પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે, કુલભૂષમ જાધવને ન્યાય મળશે. તેમણે કહ્યું કે, અમારી સરકાર દરેક ભારતીયની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરતી રહેશે.
જણાવી દઈએ કે, પાકિસ્તાને ભારતીય જાસૂસ ગણાવીને કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી હતી. પાકિસ્તાનનું કહેવું છે કે, તે આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો. જ્યારે ભારતે તેને ખોટું ગણાવી આઈસીજેમાં અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન