PM મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામે કરશે સંબોધન, Tweet કરી કહ્યું – તમે ચોક્કસ જોડાજો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમણે આ અંગે એક ટ્વિટ કરીને માહિતી આપી અને લોકોને ચોક્કસ જોડાવાનું કહ્યું. વડાપ્રધાને કોરોના વાયરસ મહમારીને પગલે અનેક વખત દેશને સંબોધિત કર્યો છે. તેઓ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશવાસીઓને કોરોના વિશે સાવધ રહેવાની સલાહ પણ આપતા રહ્યા છે. હાલ એ સ્પષ્ટ નથી કે સંબોધનમાં વડાપ્રધાન શું કહેવાના છે.
आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा। आप जरूर जुड़ें।
Will be sharing a message with my fellow citizens at 6 PM this evening.
— Narendra Modi (@narendramodi) October 20, 2020
ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યારે તહેવારનો સમય ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં સતત તહેવાર જ તહેવાર છે, એવામાં સરકારની તરફથી એક વખત ફરીથી કડકાઇ વર્તવામાં આવી રહી છે. તાજેતરમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હોય પરંતુ તહેવારના લીધે બજારોમાં ભીડ થઇ શકે છે એવામાં સાવધાની તરીકે સરકારની તરફથી સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીના કોરોના દરમિયાનના અત્યાર સુધીના સંબોધન
19 માર્ચ : જનતા કર્ફ્યૂની જાહેરાત (29 મિનિટ)
24 માર્ચ : 21 દિવસનું લોકડાઉન (29 મિનિટ0
3 એપ્રિલ : દીવો પ્રગટાવવાની અપીલ કરી (12 મિનિટ)
14 એપ્રિલ : લોકડાઉન-2ની જાહેરાત (25 મિનિટ)
12 મે : 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત (33 મિનિટ)
30 જૂન : અન્ન યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત (16 મિનિટ)
પ્રધાનમંત્રી મોદીની તરફથી અત્યાર સુધીમાં કેટલીય વખત રાષ્ટ્રને સંબોધિત કરી ચૂકયા છે. જેમાં જનતા કર્ફ્યૂ, 21 દિવસનું લોકડાઉન, કોરોના વોરિયર્સ માટે દિવો પ્રગટાવાની અપીલના સમયે પણ પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.
આ વીડિયો પણ જુઓ : આજે સાંજે 6 વાગ્યે PM મોદીનું સંબોધન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન