INDvsBAN: આર.અશ્વિનના નામે વધુ એક મોટી સિદ્ધિ, આ દિગ્ગજો સાથે કરી બરાબરી

‘વિરાટ બ્રિગેડ’ના સૌથી સફળ બોલર રવિચંદ્રન અશ્વિને વધુ એક ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઇન્દોર ખાતે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન અશ્વિને આ ખ્યાતિ મેળવી છે.
આપને જણાવી દઈએ કે આર.અશ્વિને ભારતમાં 250 ટેસ્ટ વિકેટ ઝડપ્યા છે અને આ સાથે તે ટીમ ઇન્ડિયાનો એવો, ત્રીજો બોલર બન્યો છે. ઓફ સ્પિનર અશ્વિને 250મી વિકેટ બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને આઉટ કરી લીધી છે. 33 વર્ષનો અશ્વિન તેના ટેસ્ટ કરિયરની 69મી મેચ રમી રહ્યો છે. મૂળ તમિલનાડુના આ ખેલાડીના નામે સૌથી ઝડપી 200 અને 250 ટેસ્ટ વિકેટ લેવાનો રિકોર્ડ પણ છે. આ મેચ પહેલા અશ્વિને ભારતમાં 41 અને વિદેશમાં 27 મેચ રમ્યા છે. જમાં ભારતેમાં 249 વિકેટ લીધા હતા.
250 Test wickets at home for @ashwinravi99. He becomes the third Indian bowler to do so after @anilkumble1074 & @harbhajan_singh. pic.twitter.com/x1Q6fTonsi
— BCCI (@BCCI) November 14, 2019
અશ્વિન પહેલા આ સિદ્ધિ મેળવનાર ભારતીય બોલર અનિલ કુંબલે અને હરભજન સિંહ છે. જેમને 250થી વધુ વિકેટ લીધા છે. દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે કુલ 619 વિકેટ છે. જ્યારે ઓફ સ્પિનર હરભજન સિંહના નામે 417 ટેસ્ટ વિકેટ છે. ભજ્જીએ ભારતીય મેદાન પર 55 ટેસ્ટ મેચમાં 265 વિકેટ લીધા છે. જ્યારે અનિલ કુંબલેએ 63 ટેસ્ટ મેચોમાં ભારતમાં 350 વિકેટ લીધા છે.
આ વીડિયો પણ જુઓ: સરકારનાં મહત્વનાં નિર્ણય અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન