ગુજરાતમાં કોરોનાનાં 1598 પોઝિટિવ કેસ, અમદાવાદમાં સૌથી વધુ મોતનો આંક યથાવત

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો અહિં રોજબરોજ પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. આજે એક જ દિવસમાં 332 કેસ સાથે 10 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે.
ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1598 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1598 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 206714એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3953એ પહોંચ્યો છે. જ્યારે 1523 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.93 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,887 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસી !#Corona #coronapandemic #Coronaupdatesgujarat pic.twitter.com/N8cxQDlSfK
— Sandesh (@sandeshnews) November 28, 2020
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 332, સુરત કોર્પોરેશન 228, વડોદરા કોર્પોરેશન 138, રાજકોટ કોર્પોરેશન 98, બનાસકાંઠા 58, મહેસાણા 57, સુરત 56, રાજકોટ 53, પાટણ 50, વડોદરા 41, ગાંધીનગર 37, ખેડા 32, ગાંધીનગર કોર્પોરેશન 30, જામનગર કોર્પોરેશન 30, દાહોદ 29, સાબરકાંઠા 27, અમદાવાદ 25, આણંદ 25, મહીસાગર 25, પંચમહાલ 24, ભાવનગર કોર્પોરેશન 21, ભરૂચ 19, મોરબી 19, અમરેલી 18, જુનાગઢ 17, કચ્છ 16, સુરેન્દ્રનગર 13, ગીર સોમનાથ 12, જુનાગઢ કોર્પોરેશન 11, જામનગર 10, નર્મદા 9, અરવલ્લી 7, ભાવનગર 6, છોટા ઉદેપુર 6, દેવભૂમિ દ્વારકા 6, બોટાદ 3, નવસારી 3, વલસાડ 3, પોરબંદર 2, તાપી 2 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 15 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 10 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3953એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,87,969 નાગરીકો સાજા થઈ ગયા છે. 3953ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,792 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 89 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,703 સ્ટેબલ છે.
આ વીડિયો પણ જુઓ : બોરસદના બદલપુરમાં સ્વયંભુ લોકડાઉન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન