UPમાં કોરાનાની રસી બાદ વોર્ડ બોયનું મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કારણ આવ્યું સામે

ઉત્તરપ્રદેશ (Uttarpradesh)ના મુરાદાબાદ (Moradabad)માં જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોય (Ward Boy) તરીકે કામ કરતા 46 વર્ષના મહિપાલ સિંહ (Mahipal Singh)નું રવિવારે અચાનક તબિયત ખરાબ થતાં મોત થયું હતું. પરિવારના સભ્યોનો આરોપ છે કે મહિપાલ સિંહને 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ અભિયાન (Corona Vaccination) દરમિયાન રસી આપવામાં આવી હતી અને રસીના કારણે તેમનું મોત નીપજ્યું હતું. જોકે ચીફ ઓફ મેડિકલ ઓફિસર (CMO) એમસી ગર્ગે આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે મહિપાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટ એટેક આવ્યું છે.
જિલ્લાધિકારી રાકેશકુમાર સિંહે પણ મહિપાલસિંઘના હાર્ટ એટેકથી મોતની વાત કહી છે. તેમણે કહ્યું કે મહિપાલના અવસાન બાદ કોરોના રસી અંગે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
દીકરાનું કહેવું છે કે રસી મૂકાવતાની સાથે જ શ્વાસ ફૂલવા લાગ્યો
મહિપાલ સિંહના દીકરાએ મીડિયાને જણાવ્યું હતું કે સવારે ડ્યૂટી પરથી છૂટ્યા બાદ તે અચાનક તબિયત બગડી ગઇ હતી. મારે કોઈ કામથી જવાનું હતું તો હું જતો રહ્યો, સાંજે મને ફોન આવ્યો કે તબિયત વધુ ખરાબ છે. પરિવારે 108 પર ફોન કર્યો હતો પરંતુ તેઓ સમયસર આવ્યા ન હતા. શનિવારે રસીકરણ બાદ તેમનો શ્વાસ ખૂબ ફૂલી રહ્યો હતો. એક સવાલના જવાબમાં વિશાલે કહ્યું કે તેઓ કોરોના પોઝિટિવ પણ નહોતા. પરિવારનો આરોપ છે કે રસી આપતા પહેલાં મહિપાલ સિંહનું મેડિકલ તપાસ કરવામાં આવી નહોતી.
મહિપાલ સિંહના મૃત્યુ બાદ CMO એસસી ગર્ગ તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મહિપાલના છાતીમાં દુ:ખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા. પરિવારના આરોપો પર CMO એ કહ્યું કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. કેટલાંક લોકો એ ભ્રમ ઉભો કરી રહ્યા છે કે મુરાદાબાદમાં વેક્સીનના લીધે મોત થયું છે. મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં હાર્ટ એટેક કારણ છે. આ ઘટનાનો વેકસીન સાથે કોઇ સંબંધ નથી.
આ વીડિયો પણ જુઓ: મેટ્રો રેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તને લઈ સુરતના ઉદ્યોગપતિઓનું મંત્વય
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન