- અચલા એકાદશીના દિવસે મીન રાશિમાં ગુરુ, ચંદ્ર અને મંગળ
- આ દિવસે આયુષ્માન યોગ અને ગજકેસરી યોગ
- આ દિવસે રેવતી નક્ષત્ર હોવાથી વધુ સારૂ ફળ મળશે
હિંદુ કેલેન્ડર મુજબ દર મહિને 2 એકાદશીઓ આવે છે. આ તમામ એકાદશીઓ ભગવાન વિષ્ણુની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમાંની કેટલીક એકાદશીઓને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. આમાંની એક અચલા એકાદશી છે. તે જ્યેષ્ઠ માસમાં આવે છે. અચલા એકાદશીનું વ્રત એટલું મહત્વનું છે કે મહાભારત કાળમાં ભગવાન કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિરને આ વ્રત રાખવાની અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાની સલાહ આપી હતી. આ વ્રત રાખવાથી જીવનમાં અપાર સુખ-સમૃદ્ધિ આવે છે.
અચલા એકાદશી 2022 ખૂબ જ ખાસ
જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અચલા અથવા અપરા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે એકાદશી તિથિ 25 મે, બુધવારે સવારે 10:32 વાગ્યાથી શરૂ થશે, જે 26 મે, ગુરુવારના રોજ સવારે 10:54 વાગ્યા સુધી રહેશે. એકાદશી 26મી મેના રોજ હોવાથી આ દિવસે ઉપવાસ કરવાથી શુભ ફળ મળશે. અચલા એકાદશી પર ખૂબ જ વિશેષ સંયોગ બની રહ્યા છે. આ દિવસે આયુષ્માન યોગ અને ગજકેસરી યોગની રચના થઈ રહી છે. આ યોગો ઉપવાસ, પૂજા અને શુભ કાર્ય કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એક રાશિમાં 3 ગ્રહ રહેશે
26 મેના રોજ અચલા એકાદશીના દિવસે મીન રાશિમાં ગુરુ, ચંદ્ર અને મંગળ જેવા 3 મહત્વપૂર્ણ ગ્રહો એકસાથે હાજર રહેશે. આ ત્રિગ્રહી યોગ ગજકેસરી યોગ બનાવે છે, જે જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. મીન રાશિમાં આ યોગ બની રહ્યો હોવાથી અને મીન રાશિનો સ્વામી ગુરૂ ગ્રહ ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ ગજકેસરી યોગના શુભ પરિણામોમાં વધુ વધારો થશે. આ ઉપરાંત આ દિવસે રેવતી નક્ષત્ર પણ છે. આ નક્ષત્ર પણ શુભ ફળ આપે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા નિયમ અને ભક્તિ સાથે કરો.