જ્યોતિષમાં બુધનું મહત્ત્વનું સ્થાન છે. આ કારણથી તેમને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. આ સિવાય બુધ વાણી, બુદ્ધિ અને વેપારનો નિયંત્રક ગ્રહ પણ છે, જે ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે. રાશિ પરિવર્તન નક્ષત્ર પરિવર્તન સિવાય બુધ વક્રી કે માર્ગી થાય છે. તેમજ બુધનો ઉદય કે અસ્ત થાય છે.


વૈદિક કેલેન્ડર અનુસાર, બુધ વર્ષ 2025માં કુલ ત્રણ વખત અસ્ત થશે. ચાલો જાણીએ કે માર્ચ અને એપ્રિલ વચ્ચે બુધ ક્યારે અને કેટલો સમય અસ્ત થશે. આ સાથે જ તમને તે ત્રણ રાશિઓ વિશે પણ જાણવા મળશે, જેમના લોકો માટે આ 21 દિવસ વરદાન સાબિત થઈ શકે છે.

માર્ચમાં બુધ ક્યારે અસ્ત થશે?

જ્યારે બુધ સૂર્યની ખૂબ નજીક આવે છે, ત્યારે તે ચોક્કસ સમયગાળા માટે દેખાતો નથી. આને ગ્રહનું અસ્ત થવુ કહેવામાં આવે છે. વૈદિક કેલેન્ડર મુજબ, મંગળવાર, 18 માર્ચ, 2025 ના રોજ સાંજે 7:20 વાગ્યે બુધ અસ્ત થશે, જે મંગળવાર, 8 એપ્રિલ, 2025 ના રોજ સવારે 5:04 વાગ્યા સુધી આ સ્થિતિમાં રહેશે. આ વખતે બુધ કુલ 21 દિવસ સુધી અસ્ત રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે બુધનુ અસ્ત થવુ લાભદાયી રહેશે આ 21 દિવસોમાં વેપારીઓને દરેક કામમાં સફળતા મળશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. કારકિર્દીમાં સફળતા મળશે અને તેમની આવક વધશે. વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવાની તક મળશે, જેનાથી તેમની કુશળતાનો વિકાસ થશે. પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે જ્યારે બુધ જીવનમાં સકારાત્મક ઉર્જા વધશે અને ખુશીઓ આવશે. વેપારીઓનો નફો વધશે. જો તમે રિયલ એસ્ટેટ, શિક્ષણ, આરોગ્ય અથવા મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, તો તમારી કારકિર્દીમાં નવો વળાંક આવશે. વિવાહિત દંપતી વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવશે.

મીન રાશિ

વેપારીઓના અટવાયેલા પ્રોજેક્ટ પૂરા થતા રહેશે, જેના કારણે તેમના નફામાં નોંધપાત્ર વધારો થશે. આ સમયગાળા દરમિયાન ઓફિસમાં નોકરી કરતા લોકોનું સન્માન વધશે. પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા મતભેદોનો અંત આવશે.સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થશે. 

  • Follow us on: