• વાસ્તુશાસ્ત્ર અનુસાર સીઢીઓની બનાવટ ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ
  • સીઢી પૂર્વ દિશાની દિવાર સાથે જોડાયેલી ન હોય
  • સીડી માટે દક્ષિણ પશ્રિમ દિશા ઉત્તમ હોય છે

ઘરમાં જો સીડી બરાબર ન હોય તો વરસાદની મોસમમાં ત્યાંથી પાણી નીચે ઘરમાં આવે છે. આ સિવાય પણ જો સીડી યોગ્ય દિશામાં ન હોય તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પણ જો સીડીઓ ઘરમાં યોગ્ય દિશામાં હોય તો ઘરમાં રહેતી વ્યક્તિઓનો વિકાસ અને વિકાસ થતો રહે છે. અનેક ફાયદાઓ મળે છે. આમ સીડી એ માત્ર ઉપર જવાના કામમાં જ નથી આવતી તેનો સંબંધ વાસ્તુશાસ્ત્ર સાથે પણ છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર સીઢીઓની બનાવટ ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ. કે પછી પૂર્વથી પશ્રિમ દિશા તરફ બનાવડાવી જોઈએ. જો આપ પોતાના ઘરમાં પૂર્વ દિશા તરફથી સીડી બનાવડાવતા હોય તો આ વાતનું ધ્યાન રાખો. સીઢી પૂર્વ દિશાની દિવાર સાથે જોડાયેલી ન હોય. જો પૂર્વ દિશાની દિવાલથી સીડી દૂર ઓછામાં ઓછી ત્રણ ઈંચ હોય તો ઘર વાસ્તુદોષથી મુક્ત થઈ જાય છે.

સીડી માટે દક્ષિણ પશ્રિમ દિશા ઉત્તમ હોય છે. આ દિશામાં સીડી હોવાથી ઘર પ્રગતિ તરફ અગ્રેસર રહે છે. તો ઈશાન ખૂણામાં સીડીઓ ન બનાવડાવવી જોઈએ. જો એમ હોય તો આર્થિક સંકટ, સ્વાસ્થ્ય હાનિ અને નોકરી તેમજ વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દિશામાં સીડીનું હોવું એ અધોગતિનું કારક બને છે. દક્ષિણ પૂર્વમાં સીડી હોવાથી વાસ્તુ અનુસાર નુકસાનકારક હોય છે. એનાથી બાળકોના સ્વાસ્થ્યમાં ચઢાવ-ઉતાર આવ્યા રાખે છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર રહેનારા લોકો અને ભાડુઆતોને પોતાના ઉપરના માળે રાખનારા લોકોએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મુખ્યદ્વારની સામે સીડીઓનું નિર્માણ ન કરાવવું જોઈએ. વાસ્તુ વિજ્ઞાન અનુસાર એનાથી ભાડુઆતોની દિવસેને દિવસે ઉન્નતિ થાય છે. અને મકાન માલિકે મુશ્કેલીઓ વેંઠવી પડે છે.

સીઢીઓના બંને છેડે દ્વાર બનાવવા જોઈએ. સીડીઓની નીચે ક્યારેય જૂતા અને ચપ્પલ તેમજ ઘરનો નકામો સામાન ન રાખવો જોઈએ. મકાનના વાસણમાં વરસાદનું પાણી ભરીને તેને માટીના વાસણથી ઢાંકીને રાખો. તેને સીડી નીચે માટીમાં દબાવી દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સીડી સંબંધિત દોષ દૂર થઈ જાય છે.

  • Follow us on: