- 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે
- દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની અને વ્રત રાખવાની પરંપરા છે
- અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે
ચૈત્ર નવરાત્રિનો તહેવાર દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ સમયગાળા દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની અને વ્રત રાખવાની પરંપરા છે. તેમજ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ચૈત્ર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
અખંડ જ્યોતિનું મહત્વ
ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે અને જ્યોત 9 દિવસ સુધી સતત પ્રજ્વલિત રહે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો અખંડ જ્યોતિ સતત જલતી રહે તો મા દુર્ગાની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે છે.
અખંડ જ્યોતિ પ્રગટાવવાનો લાભ
એવી માન્યતા છે કે જ્યાં અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. ત્યાં ખરાબ વસ્તુઓનો પડછાયો પણ પડતો નથી. આ સિવાય પરિવારના સભ્યોના જીવનમાં ખુશીઓ અને પ્રકાશ આવે છે. અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે. ગાયના ઘીમાં અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ જંતુમુક્ત બને છે. તેમજ આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે.
આ સિવાય નકારાત્મક શક્તિઓથી પણ રાહત મળે છે.
જો તમે સરસવના તેલમાં અખંડ જ્યોતિને પ્રજ્વલિત કરો છો તો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેમજ પિતૃઓને મોક્ષ મળે છે.