• ચંદ્રગ્રહણ વૈશાખ નક્ષત્ર અને વૃશ્ચિક રાશિમાં થશે
  • સનાતન ધર્મમાં ગ્રહણનું વિશેષ મહત્ત્વ
  • ગ્રહણ દરમિયાન ચંદ્ર દેવ અને સૂર્ય દેવ હોય મુશ્કેલીમાં

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 16 મેના રોજ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ વૈશાખ નક્ષત્ર અને વૃશ્ચિક રાશિમાં વૈશાખ પૂર્ણિમાના દિવસે થશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તેને ખગોળીય ઘટના માનવામાં આવે છે, પરંતુ સનાતન ધર્મમાં ગ્રહણનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જો ધાર્મિક રીતે જોવામાં આવે તો ગ્રહણ સૂર્ય, ચંદ્ર અને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે રાહુ અને કેતુના કારણે ગ્રહણ દરમિયાન ચંદ્ર દેવ અને સૂર્ય દેવ મુશ્કેલીમાં હોય છે અને ધાર્મિક દ્રષ્ટિકોણથી તેને અશુભ માનવામાં આવે છે. જ્યારે ગ્રહણના કારણે દેવતાઓ મુશ્કેલીમાં હોય છે, તો તેની અસર લોકોને પરેશાન કરી શકે છે.

આ રાશિના જાતકોની મુશ્કેલીઓ વધશે

તુલા: આ રાશિના લોકોએ ગ્રહણ દરમિયાન વધુ સાવધાની રાખવી પડશે. તમારે વ્યવસાય અથવા નોકરીમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વધુ પડતો ઉત્સાહ નુકસાન પહોંચાડી શકે છે. કોઈપણ વ્યક્તિ પર સંપૂર્ણ અથવા આંધળો વિશ્વાસ કરવાથી તમે છેતરાઈ શકો છો.

કર્કઃ આ રાશિના લોકોએ પણ સાવધાનીથી કામ કરવું પડશે. એવું કહેવાય છે કે કર્ક રાશિના લોકોને સંતાન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. બાળકોના કરિયર પર ખરાબ અસર પડી શકે છે. આ દિવસે તમે પૂજા પાઠ કરો અને અનાજનું દાન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, અતિશય ખર્ચાઓ કરવાનું ટાળો.

મકર: એવું માનવામાં આવે છે કે મકર રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ સારું નથી. શનિદેવ આ રાશિના સ્વામી છે તેથી આ રાશિના લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે. પૈસા સંબંધિત વિવાદ નુકસાનકારક બની શકે છે.

  • Follow us on: