- દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહેવાય
- આ વર્ષે દેવશયની એકાદશી 10મી જુલાઈ 2022ના રોજ
- ભગવાન વિષ્ણુ આ દિવસથી ચાર મહિના સુધી શયન કરશે
અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવશયની એકાદશી છે. દેવશયની એકાદશીને હરિશયની અથવા તો દેવપોઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે દેવશયની એકાદશી 10મી જુલાઈ 2022ના રોજ છે. ભગવાન વિષ્ણુ આ દિવસથી ચાર મહિના સુધી શયન કરે છે. આ ચાર માસ દરમિયાન તમામ પ્રકારના માંગલિક કાર્યો બંધ થઈ જાય છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે દાન અને ઉપવાસનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ દેવશયની એકાદશીનો શુભ સમય અને નિયમો.
દેવશયની એકાદશીનો શુભ સમય
રવિવાર, 10 જુલાઈ, 2022ના રોજ દેવશયની એકાદશી
એકાદશી તિથિ શરૂ થાય છે - 09 જુલાઈ, 2022 સાંજે 04:39 વાગ્યે
એકાદશીની તિથિ સમાપ્ત થાય છે - 10 જુલાઈ, 2022 બપોરે 02:13 વાગ્યે
પારણા તિથિ - 11 જુલાઈ, સવારે 05:56 થી 08.36 સુધી
દેવશયની એકાદશી પર કરો આ ઉપાય
દેવશયની એકાદશી અને ચાતુર્માસ દરમિયાન ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે તમે કેટલાક ઉપાયો કરી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
આર્થિક સંકટ દૂર કરવાનો ઉત્તમ ઉપાય
આર્થિક સંકટ દૂર કરવા માટે દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરો. આ સાથે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો કે તમારા જીવનમાંથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય.
સ્વાસ્થ્ય માટે
એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગા જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આમ કરવાથી તમારુ સ્વાસ્થ્ય સુધરે છે અને જો તમારા ઘરમાં કોઈ બીમાર છે તો આ મહાન ઉપાય કરવાથી તમને ઘણો ફાયદો થશે.
પાપોથી મુક્તિ માટે
આ માટે દેવશયની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો. નહાવાના પાણીમાં થોડો આમળાનો રસ મિક્સ કરો અને આ પાણીથી સ્નાન કરો. જેના કારણે તમને સારા પરિણામ મળે છે.
સૌભાગ્ય માટે
આ માટે દેવશયની એકાદશીનું વ્રત રાખો અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. તેમજ આ દિવસે બ્રાહ્મણોને દાન આપો.