- 24 જુલાઈએ વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને દ્વિપુષ્કર યોગ
- આ ત્રણ શુભ યોગમાં પૂજા-પાઠ સાથે જ ધ્યાન કરવું
- વિષ્ણુજી સામે ગાયના દૂધથી બનેલાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ
રવિવાર, 24 જુલાઈએ અષાઢ મહિનાના વદ પક્ષની એકાદશી છે, જેને કામિકા એકાદશી કહેવામાં આવે છે. 24 જુલાઈએ વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને દ્વિપુષ્કર યોગમાં કામિકા એકાદશીનું વ્રત કરવામાં આવશે. આ વ્રત વિષ્ણુજીના ભક્તો સાથે જ શિવજીના ભક્તો માટે પણ ખાસ છે. આ દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે. 24 જુલાઈએ વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને દ્વિપુષ્કર યોગ રહેશે. સવારથી બપોરે 2 વાગ્યા સુધી વૃદ્ધિ યોગ, તે પછી ધ્રુવ યોગ શરૂ થશે. રાતે 10 વાગ્યાથી દ્વિપુષ્કર યોગ શરૂ થશે, જે બીજા દિવસે સવારે 5.35 વાગ્યા સુધી રહેશે.
અષાઢ મહિનાની એકાદશી અને આ ત્રણ શુભ યોગમાં પૂજા-પાઠ સાથે જ ધ્યાન પણ કરવું જોઈએ. તમે ઇચ્છો તો મંત્ર જાપ કરતા-કરતા ધ્યાન કરી શકો છો. દીવો પ્રગટાવીને તેની જ્યોતિને જોઈને પણ ધ્યાન કરી શકાય છે.










