આમ તો ભોળાનાથની ભક્તિ સદા શુભ ફળ જ આપે છે. પરંતુ શ્રાવણ માસમાં જે વ્યક્તિ તેમના શરણમાં જાય છે તેમના ભંડાર ભગવાન ભરી દે છે. શ્રાવણ માસમાં ભક્તો પણ શિવ ભક્તિમાં તલ્લીન રહેતાં હોય છે, દિવસ-રાત બસ ભગવાન ભોળાનાથનું સ્મરણ લોકો કરતાં હોય છે. માનવામાં આવે છે કે માણસના મન અને સપના વચ્ચે ગાઢ સંબંધ હોય છે. જો કે સપનામાં પણ ક્યારેય ભાગ્યોદયના સંકેત છુપાયેલા હોય છે. ત્યારે આજે જાણો કે શ્રાવણ માસમાં શિવજી સંબંધિત કઈ વસ્તુઓનું સપનામાં દેખાવું સૌભાગ્યનો ઈશારો છે.
– શિવલિંગનું સપનામાં દેખાવું જીવનના તમામ અમંગળ દૂર થવાનો સંકેત છે. તેમજ ધનલાભ પણ થાય છે. જે દિવસે સપનામાં શિવલિંગના દર્શન થાય તેના બીજે દિવસે એટલે કે સવારે શિવલિંગનો ગાયના દૂધથી અભિષેક અવશ્ય કરવો.










