- દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે
- ગણપતિ બાપ્પા તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે
- ગણપતિ બાપ્પાની મૂર્તિ પસંદ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી
હિંદુ ધર્મની માન્યતા અનુસાર દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણપતિ બાપ્પા તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર આવવાનો છે. ભગવાન શ્રી ગણેશનું (Lord Ganesh) આ મહાપર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીને (Ganesh Chaturthi) હવે બહુ સમય બાકી નથી. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
ગણેશ ચતુર્થીનો આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 31 ઓગસ્ટથી શરૂ થશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ચોક્કસથી જાણી લો કે ભગવાન ગણેશની કેવા પ્રકારની મૂર્તિ ઘરે લાવવી જોઈએ.










