•  સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે જ શુભ અને માંગલિક કાર્યો વર્જિત
  • લગ્ન, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ અથવા ઘર નિર્માણ જેવા શુભ કાર્યો ટાળવા
  • સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લગ્ન જેવા શુભ કાર્યોની શરૂઆત થશે

ગ્રહોના રાજા સૂર્યે 16મી ડિસેમ્બર 2022ના રોજ ધનરાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે જ શુભ અને માંગલિક કાર્યો વર્જિત છે. આમાં લગ્ન, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ અથવા ઘર નિર્માણ જેવા શુભ કાર્યો ટાળવા જોઈએ. જ્યોતિષીઓનું કહેવું છે કે 14 જાન્યુઆરી 2023ના રોજ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લગ્ન જેવા શુભ કાર્યોની શરૂઆત થશે.

ખરમાસ પછી, 17 જાન્યુઆરી, 2023થી 14 માર્ચ, 2023 સુધી, લગ્ન માટે કુલ 28 શુભ મુહૂર્ત રહેશે. આ પછી, જ્યારે સૂર્ય 15 માર્ચ, 2023 ના રોજ મીન રાશિમાં જશે, ત્યારે ફરીથી ખરમાસ શરૂ થશે. એટલા માટે સારું રહેશે કે તમે જાન્યુઆરી અને માર્ચની વચ્ચે નક્કી કરેલી તારીખો અનુસાર લગ્ન સંબંધિત કામ પૂર્ણ કરો.

જાન્યુઆરીથી માર્ચ લગ્ન માટે શુભ મુહૂર્ત

જાન્યુઆરી 2023  

17 જાન્યુઆરીમંગળવાર
18 જાન્યુઆરી બુધવાર
19 જાન્યુઆરીગુરુવાર
25 જાન્યુઆરીબુધવાર
26 જાન્યુઆરીગુરુવાર
27 જાન્યુઆરીશુક્રવાર
30 જાન્યુઆરીસોમવાર
31 જાન્યુઆરી મંગળવાર

ફેબ્રુઆરી 2023 

1 ફેબ્રુઆરી બુધવાર
6 ફેબ્રુઆરી  સોમવાર
7 ફેબ્રુઆરીમંગળવાર
8 ફેબ્રુઆરીબુધવાર
9 ફેબ્રુઆરીગુરુવાર
10 ફેબ્રુઆરીશુક્રવાર
13 ફેબ્રુઆરીસોમવાર
15 ફેબ્રુઆરીબુધવાર
 22 ફેબ્રુઆરીબુધવાર
 23 ફેબ્રુઆરીગુરુવાર
27 ફેબ્રુઆરીસોમવાર
 28 ફેબ્રુઆરી
મંગળવાર

માર્ચ 2023  

1 માર્ચબુધવાર
5 માર્ચરવિવાર
6 માર્ચ સોમવાર
7 માર્ચ  મંગળવાર
8 માર્ચ બુધવાર
9 માર્ચગુરુવાર
11 માર્ચ શુક્રવાર
14 માર્ચ  મંગળવાર

શા માટે ખરમાસમાં લગ્ન પર પ્રતિબંધ છે?

ખરમાસ કે મલમાસમાં લગ્ન જેવા શુભ કાર્યો કરવાની મનાઈ છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર ખરમાસમાં લગ્ન કરવાથી પતિ-પત્નીના સંબંધો નબળા પડી શકે છે. એટલા માટે લગ્ન જેવા શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે ખરમાસ 16 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે અને 14 જાન્યુઆરી, 2023ના રોજ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લગ્ન માટે શુભ મુહૂર્ત શરૂ થશે અને પછી તમે શુભ કાર્ય કરી શકશો.

ખરમાસમાં આ ભૂલો ટાળો

ખરમાસ મહિનામાં કોઈ નવી વસ્તુ, મકાન, જમીન કે વાહન ખરીદવું જોઈએ નહીં. આમ કરવાથી વ્યક્તિ આ વસ્તુઓનું સુખ માણી શકતો નથી. આ મહિનામાં માંસ-દારૂ, ઘઉં, ચોખા, સફેદ ડાંગર, મગ, જવ, તલ, જીરું, આમળા, સોપારી અને સંચળ ન ખાવું જોઈએ.

  • Follow us on: