• ગુપ્ત નવરાત્રિમાં તંત્ર વિદ્યા શીખવા માટે લોકો મા દુર્ગાની પૂજા કરે છે
  • આ દરમિયાન મધ્યરાત્રિએ મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે
  • મા દુર્ગાને લાલ રંગના ફૂલ ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે

હિન્દુ ધર્મમાં નવરાત્રિના તહેવારનું ખૂબ મહત્વ છે. નવરાત્રિ વર્ષમાં બે વાર આવે છે. એક વખત ચૈત્ર નવરાત્રિ અને બીજી વખત શારદીય નવરાત્રિ.જ્યારે ગુપ્ત નવરાત્રિ વર્ષમાં 2 વખત આવે છે. આ માઘ ગુપ્ત નવરાત્રિ અને અષાઢ ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે. ગુપ્ત નવરાત્રિમાં તંત્ર વિદ્યા શીખવા માટે લોકો મા દુર્ગાની પૂજા કરે છે. આ દરમિયાન મધ્યરાત્રિએ મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. 22 જાન્યુઆરી 2023થી માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો કેટલાક ખાસ ઉપાયો કરી શકાય છે.

મનોકામના પૂર્ણ કરવા કરો આ ઉપાય

ગુપ્ત નવરાત્રિમાં સ્વચ્છ માટીના વાસણમાં સપ્તધન અનાજ અને સિક્કો મૂકો. તેને ગંગાના પાણી સાથે મિશ્રિત પાણીથી ભરો. હવે કળશમાં સોપારી અને હળદરનાખો અને પછી થોડુ કુમકુમ, અબીલ અને ચોખા ઉમેરો. હવે આ કળશને કોડીયાથી ઢાંકી દો. આ કોડીયા પર પૂજાનું નાનું નારિયેળ રાખો. હવે નારિયેળ પર કલવ બાંધીને આ કલશની પંચોપચાર પૂજા કરો. અંતિમ દિવસે કળશ ઉપાડતા પહેલા તમારી ઈચ્છા કહો. આવું કરવાથી મા દુર્ગા ચોક્કસપણે મનોકામનાઓ પૂર્ણ કરે છે.

નોકરી માટેના ઉપાય

જે લોકો ગુપ્ત નવરાત્રિમાં નોકરી શોધી રહ્યા છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. આ દરમિયાન ભૈરવ બાબાના મંદિરમાં જઈને પ્રાર્થના કરવી જોઈએ. બીજી તરફ ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને લાલ રંગના ફૂલ ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પ્રગત્તિ માટે

ઓફિસ અથવા કાર્યસ્થળમાં વિવિધ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ગુપ્ત નવરાત્રિ દરમિયાન લાલ આસન પર બેસીને મા દુર્ગાની પૂજા કરો. આ પછી 9 લવિંગને લાલ કપડામાં રાખો અને તેને 9 દિવસ સુધી મા દુર્ગાને અર્પણ કરો. પૂજા દરમિયાન કપૂરથી માતાની આરતી કરો અને ગુપ્ત નવરાત્રિ પૂરી થયા પછી આ બધા લવિંગને લાલ કપડામાં બાંધીને રાખો. આમ કરવાથી નોકરીમાં પ્રગતિની તકો સર્જાય છે.

  • Follow us on: