આસ્થાનો મહાપર્વ એટલે કે મહાકુંભ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 2.7 મિલિયન લોકોએ સંગમ તટમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ગઇકાલે માઘ પૂર્ણિમા હતી. તે દિવસે કરોડોમાં લોકો મહાકુંભમાં આવી પહોંચ્યા હતા. આ દિવસે કલ્પવાસીઓએ વ્રત પૂર્ણ કર્યુ. હવે ધીરે ધીરે નાગા સાધુઓ પોતાના ગંતવ્ય સ્થાન પર જઇ રહ્યા છે. જો કે ઘણા અખાડાના સાધુ સંતોએ તો કાશી તરફ પ્રયાણ કર્યુ છે.

ક્યારે છે અંતિમ અમૃત સ્નાન 

માઘ પૂર્ણિમા પછી આગામી મોટું સ્નાન મહાશિવરાત્રી પર થશે. પંચાંગ મુજબ આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા, તેથી તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે લાખો ભક્તો સ્નાન કરવા માટે સંગમ પહોંચશે અને આ શુભ દિવસે, દેશભરના શિવ મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવશે.

મહાશિવરાત્રી 2025 સ્નાન માટે શુભ મુહૂર્ત

હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી પર સ્નાન કરવાનો શુભ સમય સવારે 5:09 થી 5:59 સુધીનો છે. પ્રદોષ કાળ દરમિયાન શિવપૂજા માટે સાંજે 6.19 થી 9.26 સુધીનો સમય શુભ માનવામાં આવે છે.

મહાકુંભ 2025 ક્યારે પૂર્ણ થશે?

મહાકુંભ 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ તે દિવસ છે જ્યારે ભગવાન શિવે નિરાકારમાંથી વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દિવસે શિવ પૂજા માટેનો શ્રેષ્ઠ સમય પ્રદોષ કાળ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, ફાલ્ગુન કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરીએ સવારે 11:08 વાગ્યે શરૂ થશે અને 27 ફેબ્રુઆરીએ સવારે 08:54 વાગ્યે સમાપ્ત થશે.


શ્રદ્ધાનો સૌથી મોટો તહેવાર

મહાકુંભ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પણ ભારતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક પણ છે. દર 12 વર્ષે યોજાતા આ મહાન ઉત્સવમાં સંતો, મહાત્માઓ, નાગા સાધુઓ અને સામાન્ય લોકો સંગમમાં આવે છે અને પુણ્ય કમાય છે. હવે મહાકુંભનું સમાપન નજીક છે, પરંતુ મહા શિવરાત્રી પર સ્નાન સૌથી ખાસ માનવામાં આવી રહ્યું છે. આ દિવસે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડશે અને ભોલેનાથની પૂજા કરવામાં આવશે.
  • Follow us on: