• શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા થાય
  • શારદીય નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી 05 ઓક્ટોબર સુધી રહેશે
  • અખંડ જ્યોતિ અને કળશની સ્થાપના કરવામાં આવે

પિતૃપક્ષ પછી શારદીય નવરાત્રિ શરૂ થશે. શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી 05 ઓક્ટોબર સુધી રહેશે. અખંડ જ્યોતિ અને કળશની સ્થાપના સાથે પ્રતિપદા તિથિથી નવરાત્રિની શરૂઆત થાય છે. પવિત્ર કળશની સ્થાપના પછી જ દેવીની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ વર્ષે સાધકોને કળશની સ્થાપના માટે કેટલો સમય મળી રહ્યો છે.

ઘટસ્થાપન મુહૂર્તનો શુભ સમય

[[$googlead]]

શારદીય નવરાત્રિમાં દેવીની પૂજા પહેલા 26 સપ્ટેમ્બરે ઘટસ્થાપન કરવામાં આવશે. આ દિવસે સવારે 06.28 થી 08.01.01 સુધી કળશની સ્થાપના કરવામાં આવશે. ઘટસ્થાપન માટે સાધકોને 01 કલાક 33 મિનિટનો પૂર્ણ સમય મળશે. જે ઘરોમાં લોકો વ્રત રાખવા માગે છે ત્યાં આ એક કલાકમાં કળશની સ્થાપના કરવી પડશે.

[[$alsoread]]

અભિજીત મુહૂર્તમાં કળશનું સ્થાપન

જે લોકો કોઈ કારણસર નિયત મુહૂર્ત પર ઘટસ્થાપન કરવામાં અસમર્થ હોય તેઓ અભિજીત મુહૂર્તમાં પણ આ કાર્ય કરી શકે છે. અભિજિત મુહૂર્તમાં ઘટસ્થાપન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે બપોરે 11:54 થી 12:42 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. એટલે કે, અભિજિત મુહૂર્તમાં પણ, તમને કળશ સ્થાપિત કરવા માટે 48 મિનિટ મળશે.


નવરાત્રિમાં કળશની સ્થાપના કેવી રીતે કરવી?

શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપન એટલે કળશની સ્થાપના કરવી. આ દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. સૌપ્રથમ કળશને ગંગાજળ અથવા શુદ્ધ જળથી ભરો. કળશ પર આંબા અથવા આસોપાલવના પાન મૂકો અને ઉપર શ્રીફળ મૂકો. કળશને લાલ કપડાથી લપેટીને કલવથી બાંધો. હવે તેને માટીના વાસણ પાસે રાખો. પંચોપચાર પૂજા ફૂલ, કપૂર, અગરબત્તી, જ્યોતથી કરો. હવે શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત રીત અનુસાર કળશની સ્થાપના કરો.

  • Follow us on: