આ મંદિર ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ) ને સમર્પિત છે. અહીં ભગવાન પોતાના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બીરાજમાન થાય છે. આ મંદિર વિશે ઘણા લોકો જાણે છે, અહીં મંદિરની રક્ષા કોણ કરે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરની સેવા ભગવાન હનુમાનજી કરે છે, જેમને સંકટમોચન તરીકે ઓળખવામાં આવે છે.

રાજા ઇન્દ્રદ્યુમ્ન એ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું

લોકમાન્યતા અનુસાર માળવાના રાજા ઇન્દ્રદ્યુમ્ન એ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ એ તેમને સ્વપ્નમાં દર્શન આપી મંદિર બનાવવા આદેશ આપ્યો હતો. ત્યારથી આજ સુધી હનુમાનજી મંદિરની રક્ષા કરે છે અને અહીંના દરેક કણ કણમાં તેમનો વાસ માનવામાં આવે છે.

જગન્નાથ મંદિર નજીક બેડી હનુમાન મંદિર આવેલું છે

જગન્નાથ મંદિર નજીક બેડી હનુમાન મંદિર આવેલું છે, જેને રામદૂત હનુમાનનું મંદિર કહેવામાં આવે છે. આ મંદિરનું નામ “બેડી હનુમાન” કેમ પડ્યું, તેની પાછળ એક રસપ્રદ માન્યતા છે. કહેવાય છે કે પ્રાચીન સમયમાં સમુદ્રની ઊંચી તરંગોએ ત્રણ વખત જગન્નાથ મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મહાપ્રભુ જગન્નાથે હનુમાનજીને અહીં પહેરેદારી કરવા અને સમુદ્રની તરંગોને નિયંત્રિત કરવા આદેશ આપ્યો.

હનુમાનજીએ આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી

હનુમાનજીએ આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી અને તેમની હાજરીથી સમુદ્રની તરંગો શાંત થઈ ગઈ. પરંતુ જ્યારે પણ તેમના કાનમાં ભગવાન રામ ના ભજન કે કીર્તનના સ્વર પડતા, ત્યારે તેઓ પહેરેદારી છોડી ત્યાં જવા લાગતા. આ દરમિયાન સમુદ્ર ફરી ઉગ્ર બનીને મંદિર તરફ વધતો.

ભગવાન જગન્નાથે હનુમાનજીને સોનાની બેડીઓથી બાંધી દીધા

આ કારણે ભગવાન જગન્નાથે હનુમાનજીને સોનાની બેડીઓથી બાંધી દીધા, જેથી તેઓ હંમેશા ત્યાં રહીને મંદિરની રક્ષા કરી શકે. માન્યતા છે કે હનુમાનજી આજે પણ તે આદેશનું પાલન કરી રહ્યા છે અને પુરીમાં રહીને જગન્નાથ મંદિરની સુરક્ષા કરે છે.

આ પણ વાંચો: Hanuman Jayanti Daan: હનુમાન જયંતિએ રાશિ અનુસાર કરો દાન, બજરંગબલીની કૃપા રહેશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)