આ રત્ન શનિ સાથે જોડાયેલું છે, તેથી તેને પહેરતા પહેલાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. માનવામાં આવે છે કે નિલમ યોગ્ય વ્યક્તિને ઝડપથી લાભ આપે છે, પરંતુ જો તે સુટ ન થાય તો એટલી જ ઝડપથી નુકસાન પણ પહોંચાડી શકે છે.
કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય, તો નિલમ પહેરવાથી આર્થિક નુકસાન
નિલમ પહેરવામાં સૌથી મોટી ભૂલ એ છે કે લોકો જ્યોતિષીય સલાહ લીધા વગર તેને ધારણ કરી લે છે. દરેક વ્યક્તિની કુંડળી અલગ હોય છે અને તેમાં શનિની સ્થિતિ પણ અલગ હોય છે. જો કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય, તો નિલમ પહેરવાથી આર્થિક નુકસાન, પરિવારિક કલહ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ વધી શકે છે.
ખોટું વજન, ખોટી ધાતુ અથવા ખોટી આંગળીમાં પહેરેલું નિલમ નકારાત્મક અસર કરે
ઘણા લોકો ફેશન કે અન્ય લોકોને જોઈને નિલમ પહેરી લે છે, જે ખોટું છે. ખોટું વજન, ખોટી ધાતુ અથવા ખોટી આંગળીમાં પહેરેલું નિલમ પણ નકારાત્મક અસર આપી શકે છે. સામાન્ય રીતે નિલમ ચાંદી અથવા પંચધાતુમાં બનાવી મધ્યમ આંગળીમાં પહેરવામાં આવે છે, પરંતુ આ પણ વ્યક્તિની કુંડળી પર આધારિત છે.
નિલમ પહેરતા પહેલાં તેનું પરીક્ષણ કરવું પણ જરૂરી માનવામાં આવે છે. તેને થોડા દિવસ સુધી તકીયા નીચે રાખીને અથવા શરીરના સંપર્કમાં રાખીને જોવું જોઈએ કે કોઈ નકારાત્મક અસર તો નથી થતી. જો આ સમય દરમિયાન ખરાબ સપનાઓ, અચાનક નુકસાન અથવા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થાય, તો તેને પહેરવું નહીં.
ધ્યાન રાખો કે નિલમ જેટલું ઝડપથી ફાયદો આપે છે, એટલું જ ઝડપથી નુકસાન પણ આપી શકે છે. તેથી તેને પહેરતા પહેલાં અનુભવી જ્યોતિષીની સલાહ લેવી જરૂરી છે. યોગ્ય રીત અને યોગ્ય સમયે પહેરાયેલું નિલમ જીવનમાં સફળતા, ધન અને માન-સન્માન આપી શકે છે, પરંતુ બેદરકારી તેને બરબાદીનું કારણ બનાવી શકે છે.
આ પણ વાંચો: Grah Gochar: કર્મફળના દાતા શનિદેવનો થશે ઉદય, આ રાશિને બમ્પર લાભ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)