ફિલ્મ જોયા બાદ ઘણા લોકોમાં બાબા પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધાનો ભાવ વધુ મજબૂત થયો છે. ભક્તો હવે તેમના જીવન, ઉપદેશો અને તેમની સાથે જોડાયેલી અનેક માન્યતાઓ વિશે જાણવા ઉત્સુક છે. નીમ કરોલી બાબા સાથે જોડાયેલો એક સવાલ એવો પણ છે કે તેઓ પોતાની મોટાભાગની તસવીરોમાં ધાબળો ઓઢેલા જ કેમ જોવા મળે છે?

કહેવાય છે કે વાતાવરણ ગમે તેવું હોય, બાબા હંમેશા પોતાની પાસે એક ધાબળો રાખતા હતા. તેમના ધાબળા સાથે જોડાયેલી અનેક કથાઓ આજે પણ ભક્તોમાં પ્રચલિત છે.

બાબાના ધાબળાનું શું છે રહસ્ય?

નીમ કરોલી બાબાના ધાબળાને લઈને અનેક માન્યતાઓ જોવા મળે છે. કેટલાક ભક્તોનું માનવું છે કે બાબા બીમાર વ્યક્તિ પર ધાબળો ઓઢાડતા હતા અને ત્યારબાદ તેની તકલીફ દૂર થઈ જતી હતી. કેટલાક શ્રદ્ધાળુઓ એવું પણ માને છે કે બાબા ધાબળા દ્વારા પોતાની આધ્યાત્મિક શક્તિઓને ઢાંકતા હતા.

અમેરિકન લેખક અને બાબાના ભક્ત રિચર્ડ એલપર્ટ જેઓ પાછળથી રામદાસ તરીકે જાણીતા થયા, તેમણે પોતાના પુસ્તક Miracle of Loveમાં બાબાના ધાબળોનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકમાં બાબાના ચમત્કારીક ધાબળા સાથે જોડાયેલી એક ઘટના વર્ણવવામાં આવી છે. બાબા સામાન્ય રીતે વાદળી અથવા હળવા રંગનો ધાબળા ઓઢતા હતા. ભક્તો આ રંગને શાંતિ અને આધ્યાત્મિક સ્થિરતા સાથે પણ જોડે છે.

ધાબળા સાથે જોડાયેલી રહસ્યમય ઘટના

બાબાના ધાબળા સાથે જોડાયેલી એક કથા ખૂબ જ પ્રચલિત છે. કહેવાય છે કે વર્ષ 1943માં ફતેહગઢમાં રહેતું એક વૃદ્ધ દંપતી બાબાના ભક્ત હતું. એક દિવસ અચાનક બાબા તેમના ઘરે પહોંચ્યા અને કહ્યું કે તેઓ રાત્રે ત્યાં જ રોકાશે. દંપતી ખૂબ ખુશ થયું અને તેમણે બાબાની સેવા કરી.

ભોજન કર્યા બાદ બાબા ધાબળા ઓઢીને પલંગ પર સૂઈ ગયા. થોડા સમય પછી વૃદ્ધ દંપતીને બીજા રૂમમાંથી બાબાની કરાહવાનો અવાજ સંભળાવા લાગ્યો. તેમને એવું લાગ્યું કે જાણે કોઈ બાબાને માર મારી રહ્યું હોય. બંને આખી રાત ચિંતામાં રહ્યા.

સવારે બાબા ઊઠ્યા અને પોતાનો ધાબળો વૃદ્ધ દંપતીને આપીને કહ્યું કે તેને પાણીમાં વહાવી દેજો. સાથે તેમણે કહ્યું કે ચિંતા ન કરશો, લગભગ એક મહિનામાં તમારો પુત્ર પાછો આવી જશે.

neema baba

દંપતીએ બાબાની આજ્ઞા માનીને ધાબળો પાણીમાં વહાવી દીધું. આશરે એક મહિના બાદ તેમનો પુત્ર ઘરે પાછો ફર્યો. તે સૈનિક હતો અને યુદ્ધમાં ગયો હતો. તેણે જણાવ્યું કે લગભગ એક મહિના પહેલાં દુશ્મનોએ તેમની ટુકડીને ઘેરી લીધી હતી. આખી રાત ભારે ગોળીબાર થયો હતો અને તેના તમામ સાથીઓ માર્યા ગયા હતા, પરંતુ તે સુરક્ષિત બચી ગયો હતો. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે તેને એક પણ ગોળી વાગી નહોતી.

ભક્તોમાં એવી માન્યતા છે કે જે રાત્રે બાબા વૃદ્ધ દંપતીના ઘરે રોકાયા હતા, તે જ સમયે તેમના પુત્ર પર સંકટ આવ્યું હતું અને બાબાએ તે સંકટ પોતાના પર લઈ લીધું હતું. આ માન્યતા બાદ બાબાના ધાબળા સાથે જોડાયેલી કથા વધુ પ્રચલિત બની.

જોકે, આ ઘટનાનો કોઈ મજબૂત ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી. છતાં બાબાના ભક્તોમાં આ કથા આજે પણ શ્રદ્ધા સાથે કહેવામાં આવે છે. કહેવાય છે કે આ જ લોકપ્રચલિત માન્યતાઓના કારણે કૈંચી ધામમાં ભક્તો ધાબળા ચઢાવવાની પરંપરા સાથે પણ જોડાયા છે.