આ દિવસ માત્ર પૂજા-અર્ચના માટે જ મહત્વનો નથી, પરંતુ જ્યોતિષ દૃષ્ટિએ પણ ખાસ ઉપાયો કરવા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જેમની કુંડળીમાં શનિ અથવા રાહુ દોષ હોય, તેઓ આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરીને તેના નકારાત્મક પ્રભાવને ઓછો કરી શકે છે.

ભગવાન શ્રીરામની વિધિપૂર્વક પૂજા કરવી

સૌથી પ્રથમ અને અસરકારક ઉપાય છે ભગવાન શ્રીરામની વિધિપૂર્વક પૂજા કરવી. રામનવમીના દિવસે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પૂજા કરો. “ૐ શ્રી રામાય નમઃ” મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો ખૂબ ફળદાયક માનવામાં આવે છે. આથી મનને શાંતિ મળે છે અને ગ્રહોના અશુભ પ્રભાવ ઓછા થાય છે.

 આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને કાળા તલનું દાન કરો

શનિ દોષથી રાહત મેળવવા માટે આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને કાળા તલ, અડદની દાળ, સરસવનું તેલ અને કાળા કપડાં દાન કરો. સાથે જ પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. રાહુ દોષ ઓછો કરવા માટે નાળિયેર, નીલા અથવા કાળા કપડાં અને મીઠાઈનું દાન કરવું લાભદાયક છે. આ ઉપાયો જીવનમાં આવતી અડચણોને દૂર કરવામાં મદદરૂપ બને છે.

સુંદરકાંડનો પાઠ કરવો ખૂબ જ લાભદાયક

રામનવમીના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો પણ ખૂબ જ લાભદાયક છે. આથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ બને છે. હનુમાનજીની કૃપાથી શનિ અને રાહુના દોષ પણ ઓછા થાય છે.

આ દિવસે સત્ય, સંયમ અને સારા વર્તનનું પાલન કરવું જોઈએ. કોઈનું દિલ ન દુભાવવું અને જરૂરિયાતમંદોની મદદ કરવી જોઈએ. આવા સારા કર્મોથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

આ પણ વાંચો: Hindu Puranas: ક્યા-ક્યા છે 18 મહાપુરાણ, જાણીલો રહસ્ય અને ધાર્મિક મહત્ત્વ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)