શનિવારનો દિવસ કર્મફળદાતા ભગવાન શનિદેવને સમર્પિત છે. આ દિવસે કેટલાક ખાસ કામો અને વસ્તુઓની ખરીદી અંગે અનેક ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. કહેવાય છે કે શનિવારે લોખંડ સહિત કેટલીક વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ, જ્યારે તેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે શનિવારે કઈ વસ્તુઓની ખરીદી અશુભ માનવામાં આવે છે.


જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત

હિંદુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર લોખંડ શનિદેવની પ્રિય ધાતુ છે, તેથી શનિવારે લોખંડ અથવા લોખંડથી બનેલી વસ્તુઓ ખરીદવાનું અશુભ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે લોખંડ ખરીદવાથી જીવનમાં આર્થિક મુશ્કેલીઓ, કામકાજમાં અવરોધ, માનસિક તણાવ અને ઘરેલુ કલહ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

શનિવારે લોખંડ ખરીદવા કરતાં તેનું દાન કરવું વધુ શુભ 

જ્યોતિષમાં એવું પણ કહેવાય છે કે શનિવારે લોખંડ ખરીદવા કરતાં તેનું દાન કરવું વધુ શુભ ફળદાયક હોય છે. ખાસ કરીને જેમની કુંડળીમાં શનિની સાડાસાતી, ઢૈયા અથવા મહાદશા ચાલી રહી હોય, તેઓ માટે લોખંડનું દાન લાભદાયક માનવામાં આવે છે. જોકે આ તમામ બાબતો ધાર્મિક શ્રદ્ધા અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. વૈજ્ઞાનિક રીતે તેની કોઈ પુષ્ટિ નથી. તેથી આ માન્યતાઓને વ્યક્તિગત આસ્થા અને વિશ્વાસના દૃષ્ટિકોણથી જ જોવી જોઈએ.

શનિવારે લોખંડ ખરીદવું કેમ અશુભ માનવામાં આવે છે?

જ્યોતિષીય માન્યતાઓ અનુસાર લોખંડ શનિદેવની પ્રિય ધાતુ માનવામાં આવે છે. તેથી શનિવારના દિવસે લોખંડ અથવા લોખંડથી બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે લોખંડ ખરીદવાથી આર્થિક નુકસાન, ઘરેલુ તણાવ અથવા કામકાજમાં અવરોધો આવી શકે છે.

કઈ વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ?

ધાર્મિક માન્યતાઓ મુજબ શનિવારે આ વસ્તુઓની ખરીદી કરવી નહી જેવી કે લોખંડ અને લોખંડની વસ્તુઓ, સ્ટીલના વાસણો, વાહન, સરસવનું તેલ, મીઠું, કાળા તલ, કાળા રંગના જૂતાં કાળા કપડાં, કાળો ધાબળો, છત્રી આ તમામ વસ્તુઓ કોઈ ને કોઈ રીતે શનિદેવ સાથે જોડાયેલી માનવામાં આવે છે. જોકે, આ વસ્તુઓનું દાન કરવું શુભ અને પુણ્યદાયક માનવામાં આવે છે.

શનિદોષમાં લોખંડનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્રમાં માન્યતા છે કે જેમની કુંડળીમાં શનિની સાડાસાતી, ઢૈયા અથવા મહાદશા ચાલી રહી હોય, તેમણે લોખંડ સંબંધિત કેટલાક ઉપાયો કરવા જોઈએ. તેમાં લોખંડની વીંટી પહેરવી અથવા લોખંડ અને સ્ટીલની વસ્તુઓનું દાન કરવું સામેલ છે. એવી માન્યતા છે કે આ ઉપાયોથી શનિના અશુભ પ્રભાવોમાં ઘટાડો થઈ શકે છે.

જો ખરીદી કરવી જ જરૂરી હોય તો?

જો કોઈ કારણસર શનિવારે જ લોખંડ અથવા તેનાથી બનેલી વસ્તુ ખરીદવી જરૂરી હોય, તો કેટલાક લોકો એક દિવસ અગાઉ તેનું ચૂકવણું કરવાની સલાહ આપે છે. માન્યતા મુજબ આમ કરવાથી ખરીદીના અશુભ પ્રભાવમાં ઘટાડો થાય છે. જોકે, આ બાબત સંપૂર્ણપણે ધાર્મિક શ્રદ્ધા અને વ્યક્તિગત વિશ્વાસ પર આધારિત છે.

આ પણ વાંચો: Shukra Nakshatra Parivartan: 23 જૂને બુધના નક્ષત્રમાં આવશે શુક્ર દેવ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)



  • Follow us on: