માન્યતા મુજબ અહીં ખરાદીલથી પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી શનિ દોષ, સાડાસાતી અને ઢૈય્યાના કષ્ટ ઓછા થાય છે. આ મંદિરની સૌથી અનોખી વાત એ છે કે સમગ્ર ગામમાં કોઈ પણ ઘર કે દુકાનમાં દરવાજા નથી. લોકોનો વિશ્વાસ છે કે શનિ દેવ પોતે તેમની રક્ષા કરે છે, તેથી અહીં ચોરી જેવી ઘટનાઓ નથી થતી.


ભક્તો ખાસ કરીને શનિવારે તેલ ચઢાવીને પૂજા કરે

અહીં ભક્તો ખાસ કરીને શનિવારે તેલ ચઢાવીને પૂજા કરે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર કરવાની પ્રાર્થના કરે છે. આ લગભગ 400 વર્ષ જૂનું મંદિર ખુલ્લા ચબૂતરા પર આવેલું છે, જ્યાં શનિ દેવ કાળી શિલા સ્વરૂપે વિરાજમાન છે.

મંદિરનો ઇતિહાસ અને મહત્વ

કહવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા શનિ દેવની કાળી શિલા પનસનાળા નદીમાં વહેતી આવી હતી. જ્યારે ગામલોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમાંથી લોહી નીકળ્યું. ત્યારબાદ શનિ દેવે એક વ્યક્તિને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે આ મૂર્તિને ખુલ્લા સ્થળે જ સ્થાપિત કરવી અને તેના ઉપર છત ન બનાવવી. ત્યારથી આ પરંપરા આજે પણ ચાલુ છે.

આ મંદિર અન્ય શનિ મંદિરો કરતાં સંપૂર્ણ અલગ છે. અહીં ભક્તો કેસરિયા વસ્ત્રો પહેરીને આવે છે. માન્યતા છે કે અહીં કોઈ સ્થાયી પુજારી નથી અને ભક્તો સીધા જ દર્શન કરીને પાછા ફરે છે.

કેવી રીતે પહોંચવું?

શનિ શિંગણાપુર અહમદનગરથી લગભગ 35 કિમી અને શિરડીથી લગભગ 70 કિમી દૂર આવેલું છે. અહીં બસ, ટેક્સી અને ખાનગી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન અહમદનગર છે, જ્યાંથી મંદિર સુધી વાહન સુવિધા ઉપલબ્ધ છે. નજીકનું એરપોર્ટ ઔરંગાબાદ એરપોર્ટ છે, જે અહીંથી લગભગ 90 કિમી દૂર છે. અહીંથી રોડ માર્ગ દ્વારા સરળતાથી મંદિર સુધી પહોંચી શકાય છે.

આ પણ વાંચો: Vastu Tips: મોબાઇલથી તાત્કાલીક હટાવી દો આ ત્રણ વસ્તુઓ, કિસ્મત બદલાઇ જશે


  • Follow us on: