- સર્વ પિતૃ અમાસે ફક્ત એવા પૂર્વજોનું શ્રાદ્ધ કરો જેમની મૃત્યુ તિથિની જાણ નથી
- કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિનું અપમાન ન કરો
- કોઈપણ નિર્દોષ પ્રાણીને હેરાન કરશો નહીં
હિંદુ કેલેન્ડર મુજબ, પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે સર્વ પિતૃ અમાસ પર સમાપ્ત થાય છે. તેને મહાલય અમાસ અને પિતૃ મોક્ષ અમાસ પણ કહેવામાં આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો અને 25 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ દિવસે પૂર્વજો તેમના લોકો પાસે પાછા ફરે છે. એટલા માટે પિતૃપક્ષના આ અંતિમ દિવસનું ઘણું મહત્વ છે. જેમણે અત્યાર સુધી પોતાના પિતૃઓનું શ્રાદ્ધ નથી કર્યું, તેમણે સર્વ પિતૃ અમાસના દિવસે અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ. પિંડ દાન કરવાની આ છેલ્લી તક છે. આ સાથે આ દિવસે કેટલીક ભૂલો કરવાથી બચો, નહીંતર તમારે મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.
સર્વ પિતૃ અમાસના દિવસે ન કરો આ ભૂલો
સર્વ પિતૃ અમાસના દિવસે, ફક્ત એવા પૂર્વજોનું શ્રાદ્ધ કરો જેમની મૃત્યુ તિથિની જાણ નથી અથવા જેનું મૃત્યુ અમાસના દિવસે થયું હતું. નહિંતર, મૃત્યુના દિવસે જ શ્રાદ્ધ કરવાની સલાહ આપવામાં આવે છે.
જો કે સમગ્ર પિતૃપક્ષ દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ, પરંતુ અમાસના દિવસે આમ કરવાની ભૂલ બિલકુલ ન કરો. અન્યથા તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. અમાસ એટલે કે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થયા પછી જ તમારા નખ અને વાળ કાપો. અમાસના દિવસે નોન-વેજ-આલ્કોહોલનું સેવન ન કરો. તેનાથી પિતૃઓ ખૂબ ગુસ્સે થઈ શકે છે.
સર્વ પિતૃ અમાસના દિવસે કોઈ ગરીબ કે અવાચક પ્રાણીને તમારા દરવાજે ખાલી પાછું ન જવાદો, તેમને ભોજન આપો. અથવા સામર્થ્ય પ્રમાણે દક્ષિણા આપો. લોટ, ચોખા કે તલનું દાન કરવું શ્રેષ્ઠ છે.
કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિનું અપમાન ન કરો. કોઈપણ નિર્દોષ પ્રાણીને હેરાન કરશો નહીં. તેના બદલે લોકોને મદદ કરો. સર્વ પિતૃ અમાસના દિવસે લસણ, ડુંગળી, દાળ, અળસી વગેરેનું સેવન ન કરવું. આ દિવસે સાત્વિક ભોજન જ ખાઓ.