- આ પવિત્ર રાત્રે ચંદ્રમાંથી નીકળતા કિરણો અમૃત સમાન
- આ રાત્રે ખીર બનાવવામાં આવે અથવા તો દુધપૌવા
- ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિ મેળવી શકો છો
શાસ્ત્રોમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પંચાંગ અનુસાર દર વર્ષે આસો મહિનાની પૂર્ણિમાની તિથિએ કોજાગિરિ અને શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 9 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર સોળ કળાએ ખીલેલો હોય છે.
શાસ્ત્રો અનુસાર, આ પવિત્ર રાત્રે ચંદ્રમાંથી નીકળતા કિરણો અમૃત સમાન છે. આ રાત્રે ખીર બનાવવામાં આવે છે અથવા તો દુધપૌવા બનાવવામાં આવે છે અને ચંદ્રની રોશનીમાં રાખવામાં આવે છે. બીજી તરફ જ્યોતિષમાં શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે કરવાથી તમે ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિ મેળવી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે...










