• સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07.16 થી શરૂ થશે અને સાંજે 05.22 સુધી રહેશે
  • અમૃત સિદ્ધિ યોગ 17 જાન્યુઆરીની સવારે 07:12 થી શરૂ થશે
  • વૃધ્ધિ યોગ 18 જાન્યુઆરીના રોજ સવારે 05.58 કલાકે શરૂ થશે 

શાસ્ત્રોમાં પોષ માસમાં આવતી એકાદશીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પોષ મહિનામાં આવતી એકાદશીને ષટતિલા એકાદશી (Shattila Ekadashi 2023) કહેવામાં આવે છે. જે 18 જાન્યુઆરી બુધવારના રોજ પડી રહી છે. એવી માન્યતા છે કે આ દિવસે જે વ્યક્તિ વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેની સાથે જ વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તેને દુ:ખ અને દરિદ્રતાથી મુક્તિ મળે છે. સાથે જ આ દિવસે 3 શુભ યોગ પણ બની રહ્યા છે. જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે.

 ષટતિલા એકાદશીનો શુભ સમય

વૈદિક કેલેન્ડર મુજબ, ષટતિલા એકાદશીનો શુભ સમય 17 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 06:04 વાગ્યે શરૂ થશે અને તે 18 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 04:02 વાગ્યે સમાપ્ત થશે. 19 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યા પછી ઉપવાસનું પારણુ કરવામાં આવશે.

ષટતિલા એકાદશી 2023 શુભ યોગ

પંચાંગ અનુસાર આ દિવસે 3 શુભ યોગ બની રહ્યા છે. જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07.16 થી શરૂ થશે અને સાંજે 05.22 સુધી રહેશે. બીજી તરફ, અમૃત સિદ્ધિ યોગ 17 જાન્યુઆરીની સવારે 07:12 થી શરૂ થશે અને સાંજે 05:24 સુધી ચાલુ રહેશે. આ સાથે વૃધ્ધિ યોગ 18 જાન્યુઆરીના રોજ સવારે 05.58 કલાકે શરૂ થશે અને 19 જાન્યુઆરીએ સવારે 02.46 કલાક સુધી ચાલશે. આ શુભ યોગોને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે આ યોગમાં પૂજા કરવાથી બમણું ફળ મળે છે.

  • Follow us on: