- ગ્રહણ સમયે ભોજન બનાવવું અને ખાવું અનિચ્છનિય
- ગ્રહણ સમયે સૂવું નહીં અને વાદ-વિવાદમાં પડવું નહીં
- ગ્રહણ સમયે પહેરેલા કપડા ધોયા વિના ફરી ન પહેરવા
સૂર્યને નવગ્રહોના રાજા અને સિંહ રાશિનો સ્વામી માનવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્યના ગ્રહણની ઘટનાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષનું આખરી સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર એટલે કે શનિવારે યોજાશે. પંચાંગના અનુસાર આ ગ્રહણ રાતના 8.34 મિનિટથી શરૂ થશે અને રાતે 2.25 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ઉલ્લેખનીય છે કે આ પહેલા 20 એપ્રિલે સૂર્યગ્રહણ થયું હતું. પંચાંગના અનુસાર આવનારું સૂર્યગ્રહણ 2024ની 8 એપ્રિલે યોજાશે. ખાસ વાત તો એ કે 2024નું ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
સૂતકમાં શુભકામની મનાઈ













