આ એપ્રિલ મહિનો ગ્રહ ગોચરની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહિનામાં બે મોટા ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. આ બે ગ્રહો ધરતી પુત્ર મંગળ અને ભગવાન સૂર્ય છે. જ્યોતિષશાસ્ત્રમાં આ બંનેના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન સૂર્યને આત્મા, ઉર્જા અને આત્મવિશ્વાસનો કારક માનવામાં આવે છે, જ્યારે મંગળને શૌર્ય, શક્તિ અને હિંમતનું પ્રતિક માનવામાં આવે છે.
ભગવાન સૂર્ય હાલમાં ગુરુની રાશિ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે, જ્યારે મંગળ રાજકુમાર બુધની રાશિ મિથુન રાશિમાં હાજર છે. અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે જેમા મંગળનું રાશિ પરિવર્તન થશે. આવતીકાલે એટલે કે 3જી એપ્રિલે મંગળ મિથુન રાશિમાંથી ચંદ્રની માલિકીની કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 14 એપ્રિલે સવારે 3:30 કલાકે ભગવાન સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં જશે. ભગવાન સૂર્યના રાશિ પરિવર્તન સાથે ખરમાસ સમાપ્ત થશે. આટલું જ નહીં મંગળ અને ભગવાન સૂર્યના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. ચાલો તેમના વિશે જાણીએ.













