• આ ત્રણેય મંગળની રાશિ વૃશ્ચિક રાશિમાં
  • સૂર્ય, શુક્ર અને બુધ ત્રણેય અનુરાધા નક્ષત્રમાં સંયોગ રચી રહ્યા છે
  • શનિદેવને આ નક્ષત્રના સ્વામી માનવામાં આવે છે

આ સમયે સૂર્ય, શુક્ર અને બુધ એક જ રાશિમાં બીરાજમાન છે. આ ત્રણેય મંગળની રાશિ વૃશ્ચિક રાશિમાં બેઠા છે. અનુરાધા નક્ષત્ર પણ વૃશ્ચિક રાશિમાં આવે છે. તેનો અર્થ એ છે કે સૂર્ય, શુક્ર અને બુધ ત્રણેય અનુરાધા નક્ષત્રમાં સંયોગ રચી રહ્યા છે. શનિદેવને આ નક્ષત્રના સ્વામી માનવામાં આવે છે. જ્યોતિષીઓનું કહેવું છે કે શનિની માલિકીના આ નક્ષત્રમાં આવો દુર્લભ સંયોગ ભાગ્યે જ જોવા મળે છે. શનિદેવના આ નક્ષત્રમાં સૂર્ય, શુક્ર અને બુધના એકસાથે આવવાથી ત્રણેય રાશિના જાતકોને ખૂબ જ શુભ ફળ મળવાના છે.

કર્ક રાશિ

જ્યોતિષોના મતે શનિના અનુરાધા નક્ષત્રમાં સૂર્ય, શુક્ર અને બુધનો સંયોગ કર્ક રાશિના લોકોને ઘણો લાભ આપનાર છે. અટકેલા પૈસા પાછા મેળવી શકો છો. આકસ્મિક ધન મળવાની શક્યતાઓ બની રહેશે. રોકાણથી લાંબા ગાળાનો ફાયદો થશે. જમીન કે મિલકતમાં રોકાણ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. જે લોકો લાંબા સમયથી સરકારી નોકરીની પરીક્ષામાં વ્યસ્ત છે તેમને જલ્દી સારા સમાચાર મેળવશે.

મકર રાશિ

અનુરાધા નક્ષત્રમાં સૂર્ય, બુધ અને શુક્રનો સંયોગ મકર રાશિના લોકોનું ભાગ્ય ઉજ્જવળ કરી શકે છે. વેપારીઓને બમણો નફો થવાની સંભાવના છે. નોકરીમાં પ્રગતિ અને આવકમાં વૃદ્ધિની શક્યતાઓ પણ બની રહી છે. સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધનારા દરેક મોરચે સફળતા પ્રાપ્ત કરશે. તમારા ખર્ચાઓ પણ નિયંત્રણમાં રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મિત્રો અને સંબંધીઓ તરફથી સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. તમારા જે કાર્યો લાંબા સમયથી અટવાયેલા હતા તે હવે પૂરા થવાની પ્રબળ શક્યતાઓ છે.

કુંભ રાશિ

શનિદેવ કુંભ રાશિના સ્વામી છે, તેથી શનિના નક્ષત્રમાં સૂર્ય, બુધ અને શુક્રનો સંયોગ આ રાશિના જાતકોને લાભ આપનાર છે. આ દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરી અને વ્યવસાયમાં જોડાયેલા લોકોને ઈચ્છિત સફળતા અને પરિણામ મળશે. વિવાહિત જીવન સુખદ રહેશે. બાળકો તરફથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળી શકે છે.

  • Follow us on: