- હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને વિશેષ માનવામાં આવે છે
- વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવાથી સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે
- વાસ્તુ નિયમ અનુસાર આવી મૂર્તિ મંદિરમાં ન રાખવી જોઈએ
વાસ્તવમાં દરેક ઘરના મંદિરમાં અલગ-અલગ દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે તમારા ઘરના મંદિરમાં કેટલાક દેવી-દેવતાઓની મૂર્તિઓ અથવા ચિત્રો ન રાખવા જોઈએ, નહીં તો તેના નકારાત્મક પરિણામો આવી શકે છે. ચાલો જાણીએ કે ઘરના મંદિરમાં કયા દેવી-દેવતાઓની મૂર્તિઓ અથવા ચિત્રો રાખવા અશુભ માનવામાં આવે છે.
શનિદેવની મૂર્તિ ન રાખવી
હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. ઘણા લોકો શનિદેવની પૂજા પણ કરે છે, પરંતુ ઘરના મંદિરમાં તેમની તસવીર કે મૂર્તિ રાખવાની મનાઈ છે. કારણ કે તેને ઉગ્ર દેવ માનવામાં આવે છે. તેથી વ્યક્તિ માટે શનિદેવની પૂજા ઘરની જગ્યાએ મંદિરમાં કરવી વધુ શુભ માનવામાં આવે છે. શનિદેવની પૂજા ફક્ત મંદિરમાં કરી શકાય છે કેમકે જ્યાં પણ શનિદેવની સ્થાપના કરવામાં આવે છે ત્યાં પવિત્રતાનું ખુબજ ધ્યાન રાખવુ જરૂરી છે આથી ઘરમાં શનિદેવની મૂર્તિ ન રાખવી.
અશુભ પરિણામ મળી શકે છે
શનિદેવની જેમ ઘરના મંદિરમાં મા કાલીની મૂર્તિ અને ચિત્ર રાખવું સારું નથી માનવામાં આવતું, કારણ કે તે પણ ઉગ્ર દેવતાઓમાં સામેલ છે. તેથી ઘરમાં તેમની પૂજા ન કરવી જોઈએ. આ સાથે જ મા કાલીની પૂજાના નિયમો પણ ખૂબ જ મુશ્કેલ છે અને તેને ઘરમાં કરવું યોગ્ય માનવામાં આવતું નથી.
નટરાજની પ્રતિમા
મોટાભાગના લોકો નટરાજની મૂર્તિ ઘરમાં રાખવાનું પસંદ કરે છે, પરંતુ નટરાજને વાસ્તવમાં ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નટરાજની મૂર્તિને ઘરના મંદિરમાં રાખવાનું ટાળવું જોઈએ નહીં તો ઘરમાં કલહ અને અશાંતિનું વાતાવરણ બની રહે છે.