નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. તે બાદ દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. 12 ઑક્ટોબરે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. દશેરાનો દિવસ એટલે અસત્ય પર સત્યની જીતની ઉજવણી કરવાનો દિવસ. આ દિવસ ખાસ તો છે જ પરંતુ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ દિવસનું ખાસ મહત્વ છે. કારણ કે આ દિવસે શશ યોગ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. શ્રવણ નક્ષત્ર રહેશે. ત્યારે આ યોગની તમામ 12 રાશિમાં અસર જોવા મળશે પરંતુ 3 રાશિ એવી છે કે જેના માટે આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.


વૃષભ રાશિ

  • વૃષભ રાશિના લોકોને દશેરા પર્વ ખૂબ ફળદાયી નીવડશે. આ રાશિના જાતકોને આર્થિક લાભ મળી શકે છે.
  • સુખ-સુવિધાઓમાં વધારો થશે.
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓની જેઓ તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનતનું ફળ મળશે.
  • લવ લાઈફમાં આવનારી સમસ્યાઓ દૂર થશે.
  • જે લોકો વેપાર કરે છે તેઓ ખૂબ નફો કરી શકશે
  • નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ છે. તમે પ્રમોશનના સારા સમાચાર પણ સાંભળી શકો છો જેનાથી તમારું મન ખુશ રહેશે.

તુલા રાશિ

  • તુલા રાશિના જે લોકો પરણ્યા નથી તેમના માટે સંબંધ માટેની વાતો આવી શકે છે.
  • જે લોકોને તેમના લગ્ન ફાઇનલ કરવામાં સમસ્યા આવી રહી છે તેનું નિરાકરણ આવશે.
  • કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો છે.
  • નોકરી કરતા લોકોને સિનિયર્સનો પૂરો સહયોગ મળશે.
  • બોસ તમારા કામના વખાણ કરશે.
  • પારિવારિક સંબંધો મજબૂત રહેશે.
  • તમે જે કાર્યમાં મહેનત કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે.

મકર રાશિ

  • મકર રાશિના લોકોના કરિયર માટે સમય સારો છે.
  • નવી તકો પ્રાપ્ત થશે.
  • જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તમને પાછા મળી જશે.
  • જૂના મિત્રો સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્ય પણ પહેલા કરતા સારું રહેશે.
  • જો તમને કોઈ રોગ લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે, તો તે દૂર થઈ જશે.
  • અવિવાહિતો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે.
  • આ સિવાય જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ક્યાંકથી ખૂબ સારી ઓફર મળી શકે છે.


  • Follow us on: