• વિક્રમ સંવત-2079ના લગ્નમુહૂર્ત 
  • નવેમ્બર - 25, 26, 27, 28, 29
  • ડિસેમ્બર -2,4,8,9,14 

કારતક શુક્લ એકાદશીને દેવોત્થાન એકાદશી અથવા પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રામાંથી જાગે છે. દેવઊઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરુપનો વિવાહ તુલસી સાથે કરાવવામાં આવે છે. આ સાથે જ તમામ શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે, પરંતુ લગ્નના શુભ મુહૂર્ત હજુ શરૂ થયા નથી. તેનું કારણ શુક્રનું અસ્ત થવુ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે શુક્ર તુલસી વિવાહ પર અસ્ત હોવાથી વિવાહ મુહૂર્ત નથી. હવે તે 20 નવેમ્બરે ઉદય પામશે. આ પછી જ લગ્ન-વિવાહ શરૂ થશે.


શુભ કાર્યોની શરૂઆત

કારતક માસમાં દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુના જાગરણ બાદ શુભ કાર્યોનો પ્રારંભ થયો છે. તેની સાથે લગ્ન જેવા શુભ કાર્યોની શરૂઆત થાય છે. પંચાંગ અનુસાર નવેમ્બર-ડિસેમ્બર 2022માં લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. જેમાં લગ્નને શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન માટે કયા ક્યા શુભ મુહૂર્ત છે.

આ વખતે વિક્રમ સંવત-2079ના નવેમ્બર અને ડિસેમ્બરમાં 5-5 મુહૂર્ત છે. નવેમ્બર - 25, 26, 27, 28, 29, ડિસેમ્બર -2,4,8,9,14 તારીખે લગ્નના મુહૂર્ત છે. આમ આ વખતે નવેમ્બરના 5 દિવસ અને ડિસેમ્બરના 5 દિવસ કુલ 10 દિવસ વિવાહનું આયોજન થશે.


  • Follow us on: