- ભગવાન વિષ્ણુ અને સત્યનારાયણની કરાય છે પૂજા
- આ દિવસે રાતે ચંદ્રમાની પૂજા કરીને અર્ધ્ય અપાય છે
- સ્નાન-દાનથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે
ચૈત્ર મહિનાની પૂનમને ચૈત્ર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ પૂનમ ચૈતી પૂનમના નામે પણ ઓળખવામાં આવે છે. આ હિંદુ વર્ષનો પહેલો મહિનો છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને સત્ય નારાયણની પૂજા કરાય છે. આ દિવસે હનુમાન જયંતી પણ ઉજવવામાં આવે છે. આ દિવસે રાતે ચંદ્રની પૂજા કરાય છે અને તેમને અર્ધ્ય અપાય છે. આ ઉત્સવ 23 એપ્રિલે ઉજવાશે. આ દિવસે સ્નાન-દાનથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસની સાથે કેટલાક ખાસ નિયમ પણ જોડાયેલા છે. તો જાણો આ દિવસે શું ન કરવું.
ચૈત્ર પૂનમે ન કરો આ કામ












