- અગિયારસના દિવસે ચોખાનું સેવન ટાળવું
- આ દિવસે તુલસીના પાન તોડવા નહીં
- કોઈ પ્રતિ દ્રેષ કે ઈર્ષ્યા રાખવા નહીં
હિંદુ ધર્મ શાસ્ત્રોમાં એકાદશી એટલે કે અગિયારસની તિથિનું વિશેષ મહત્ત્વ છે. આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને વિધિવત પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ મળે છે. માન્યતા અનુસાર અગિયારસના વ્રતનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની અગિયારસની તિથિએ આ વ્રત કરાય છે. તો જાણો આ દિવસે શું ન કરવું.
આ વ્રત 17 જુલાઈ બુધવારે રખાશે













