- પહેલો દીવો ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને ડસ્ટબીન પાસે પહેલો દીવો પ્રગટાવો
- આર્થિક લાભ અને જીવનમાં સફળતાના આશીર્વાદ મેળવવા લક્ષ્મીજી પાસે ત્રીજો દીવો કરો
- ઘરની નજીકના મંદિરમાં સાતમો દીવો પ્રગટાવો
દિવાળી હિન્દુ ધર્મમાં એક વિશેષ તહેવાર છે, જે પાંચ દિવસ સુધી ચાલે છે. તે ધનતેરસના દિવસથી શરૂ થાય છે. આ વખતે આ ખાસ દિવસ 10 નવેમ્બર શુક્રવારના રોજ આવી રહ્યો છે. ધનતેરસનો દિવસ પણ ખૂબ જ વિશેષ અને શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો સોના-ચાંદીની ખરીદી ઉપરાંત કેટલાક ખાસ નિયમોનું પણ પાલન કરે છે. તેમાંથી એક ધનતેરસ પર 13 દીવા પ્રગટાવવાની પરંપરા છે. શાસ્ત્રો અનુસાર ધનતેરસના અવસર પર આ દિવસે અલગ-અલગ જગ્યાએ 13 દીવા પ્રગટાવવામાં આવે છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે ચાલો જાણીએ ધનતેરસની આ પરંપરા પાછળનું કારણ શું છે.
ધનતેરસના દિવસે 13 દીવા કેવી રીતે અને શા માટે પ્રગટાવવામાં આવે છે?













