• પહેલો દીવો ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને ડસ્ટબીન પાસે પહેલો દીવો પ્રગટાવો
  • આર્થિક લાભ અને જીવનમાં સફળતાના આશીર્વાદ મેળવવા લક્ષ્મીજી પાસે ત્રીજો દીવો કરો
  • ઘરની નજીકના મંદિરમાં સાતમો દીવો પ્રગટાવો

દિવાળી હિન્દુ ધર્મમાં એક વિશેષ તહેવાર છે, જે પાંચ દિવસ સુધી ચાલે છે. તે ધનતેરસના દિવસથી શરૂ થાય છે. આ વખતે આ ખાસ દિવસ 10 નવેમ્બર શુક્રવારના રોજ આવી રહ્યો છે. ધનતેરસનો દિવસ પણ ખૂબ જ વિશેષ અને શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો સોના-ચાંદીની ખરીદી ઉપરાંત કેટલાક ખાસ નિયમોનું પણ પાલન કરે છે. તેમાંથી એક ધનતેરસ પર 13 દીવા પ્રગટાવવાની પરંપરા છે. શાસ્ત્રો અનુસાર ધનતેરસના અવસર પર આ દિવસે અલગ-અલગ જગ્યાએ 13 દીવા પ્રગટાવવામાં આવે છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે ચાલો જાણીએ ધનતેરસની આ પરંપરા પાછળનું કારણ શું છે.

ધનતેરસના દિવસે 13 દીવા કેવી રીતે અને શા માટે પ્રગટાવવામાં આવે છે?

  • ધનતેરસના દિવસે ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને ડસ્ટબીન પાસે પહેલો દીવો પ્રગટાવો. એવું કહેવાય છે કે આમ કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય ઓછો થઈ જાય છે.
  • બીજો દીવો ઘીથી પ્રગટાવીને ઘરના મંદિરમાં રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
  • ત્રીજો દીવો દેવી લક્ષ્મીની સામે પ્રગટાવવામાં આવે છે. આર્થિક લાભ અને જીવનમાં સફળતાના આશીર્વાદ મેળવવા માટે આ દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.
  • ચોથો દીવો તુલસી માની સામે પ્રગટાવવો જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.
  • પાંચમો દીવો ઘરના મુખ્ય દરવાજાની સામે પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
  • છઠ્ઠો દીવો સરસિયાના તેલથી પ્રગટાવવામાં આવે છે અને પીપળના ઝાડ નીચે રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ નાણાકીય કટોકટીથી બચાવે છે.
  • ઘરની નજીકના મંદિરમાં સાતમો દીવો પ્રગટાવવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
  • ઘરમાં ડસ્ટબીન પાસે આઠમો દીવો પ્રગટાવવો શુભ છે. આ દીવો અનિષ્ટનો નાશ કરે છે અને પરિવારમાં સુખ લાવે છે.
  • નવમો દીવો શૌચાલયની બહાર પ્રગટાવવામાં આવે છે. કહેવાય છે કે આવું કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.
  • ઘરની છત પર દસમો દીવો પ્રગટાવવો જોઈએ. તે જીવનમાંથી અંધકાર દૂર કરે છે અને તેને પ્રકાશથી ભરી દે છે.
  • અગિયારમો દીવો ઘરની બારી પાસે રાખવો શુભ છે. એવું માનવામાં આવે છે કે આ દીવો ખરાબ અને નકારાત્મક ઉર્જા સામે લડવામાં મદદગાર સાબિત થાય છે.
  • બારમો દીવો ઘરના સર્વોચ્ચ સ્થાન પર રાખવામાં આવે છે, જેથી પરિવારમાં દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે.
  • તેરમો દીવો ઘરના આગંણાને શણગારવા માટે રાખવામાં આવે છે. તે દેખાવમાં સુંદર હોવા ઉપરાંત તે જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ વધારે છે.

  • Follow us on: