• ધનતેરસે સાવરણીની ખરીદીનું પણ છે મહત્ત્વ
  • આ દિવસે ધાણાના બીજની ખરીદી સારી મનાય છે
  • સ્ટીલ, પ્લાસ્ટિક કે કાચની વસ્તુની ખરીદી ન કરો

ધનતેરસના દિવસથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. આ વર્ષે આ તહેવાર 10 નવેમ્બરે ઉજવાશે. ધનતેરસના દિવસની ખરીદીને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ખરીદી કરાયેલી ચીજોથી સુખ સમૃદ્ધિ મળે છે. સાથે તે લાંબા સમય સુધી ચાલે છે. સામાન્ય રીતે લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદી,વાસણો અને ગાડી જેવી વસ્તુની ખરીદી કરે છે. આ દિવસે આ મોંઘી વસ્તુની ખરીદી શુભ માનવામાં આવે છે.

આ ચીજોની અચૂક કરો ખરીદી

  • ધનતેરસના દિવસે સાવરણીની ખરીદી શુભ માનવામાં આવે છે. તેનો સંબંધ માતા લક્ષ્મી સાથે હોય છે. આ દિવસે સાવરણી ખરીદવા અને રોલી-અક્ષત, ફૂલથી પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં ક્યારેય ધનની ખામી રહેતી નથી.
  • આ દિવસે ધાણાના બીજ ખરીદવાનું શુભ રહે છે. સારું એ રહેશે કે માતા લક્ષ્મીની પૂજા કરીને તેમને થોડા ધાણાના બીજ ચઢાવો. પૂજા બાદ આ બીજને ક્યારામાં કે કુંડામાં રાખી દો. આમ કરવાથી વેપાર ઝડપથી વધે છે.
  • આ દિવસે વાસણની ખરીદી પણ શુભ હોય છે. ધ્યાન રાખો કે આ દિવસે પિત્તળના વાસણની ખરીદી લાભદાયી રહે છે. આ સિવાય તાંબાના વાસણ પણ ખરીદી શકાય છે. પરંતુ સ્ટીલ, પ્લાસ્ટિક, કાંચના વાસણ ન ખરીદો. આ ચીજનો સંબંધ શનિ અને રાહુ સાથે હોય છે. ધનતેરસના દિવસે તે અશુભ ચીજો ખરીદવાનું ઘરમાં નકારાત્મક રહે છે.

ધનતેરસે શા માટે ખરીદાય છે વાસણ

આ દિવસે વાસણ ખરીદવાની પરંપરા સદીઓ જૂની છે. માન્યતા છે કે વાસણ ખરીદવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. સાથે જ પૌરાણિક કથાના અનુસાર કારતક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસે સમુદ્ર મંથનમાં ભગવાન ધન્વંતરી ધનથી ભરેલું કળશ લઈને પ્રકટ થયા હતા. ભગવાન ધન્વંતરીના હાથમાં પિત્તળનું કળશ હતું. આ દિવસે પિત્તળના વાસણ ખરીદવાની પરંપરા છે.


  • Follow us on: