• માતા બ્રહ્મચારિણીને ખાંડ અને પંચામૃતનો પ્રસાદ ચઢાવવો
  • માતા ચંદ્રઘંટાને દૂધથી બનેલી મીઠાઈઓ ચઢાવવી
  • માતા મહાગૌરીની પૂજામાં નારિયેળ અર્પણ કરવું

આજથી પવિત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રિનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીનો છે. આ 9 દિવસો દરમિયાન માતાના 9 સ્વરૂપોને 9 પ્રકારનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. 15મી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિના 9 દિવસ સુધી માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતા રાણીને પ્રસન્ન કરવા માટે 9 દિવસ સુધી દરરોજ અલગ-અલગ પ્રસાદ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ કે દેવીના કયા સ્વરૂપને કયો પ્રસાદ ચઢાવવો જોઈએ.

પહેલો દિવસ

નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.આ દિવસે ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈઓ દેવીને અર્પણ કરવી જોઈએ. આનાથી તમામ પ્રકારના રોગો દૂર થાય છે.

બીજો દિવસ

બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તેને ખાંડ અને પંચામૃતનો પ્રસાદ ગમે છે. પૂજામાં મનગમતો પ્રસાદ ચઢાવવાથી આયુષ્યમાં વૃદ્ધિનું વરદાન મળે છે.

ત્રીજો  દિવસ

ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. માનસિક, શારીરિક અને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે દેવી ચંદ્રઘંટાને દૂધથી બનેલી મીઠાઈઓ ચઢાવવી જોઈએ.

ચોથો દિવસ

નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમને માલપુઆના નૈવદ્ય અર્પણ કરવાથી બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.

પાંચમો દિવસ

નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતાના આ સ્વરૂપને કેળાનો પ્રસાદ ચઢાવવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય અને રોગોથી મુક્તિ મળે છે.

છઠ્ઠો દિવસ

પરિવારમાં મધુરતા જાળવી રાખવા માટે છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીને પ્રસન્ન કરો. માતાના આ સ્વરૂપને મધ અને મીઠી સોપારી અર્પણ કરવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે.

સાતમો દિવસ

માતા કાલરાત્રિને પરેશાનીઓમાંથી ઉગારનાર દેવી માનવામાં આવે છે. તેમની પૂજામાં ગોળથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તેનાથી શત્રુઓ પર વિજયના આશીર્વાદ મળે છે.

આઠમો દિવસ

નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આર્થિક લાભ અને સંતાન સુખ મેળવવા માટે દેવી મહાગૌરીને નારિયેળ અર્પણ કરવું જોઈએ. આ ભૌતિક સુખ પ્રદાન કરે છે.

નવમો દિવસ

મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતાના આ સ્વરૂપને ચણા, ખીર, પુરી, હલવો અર્પણ કરો અને પછી 9 કન્યાઓની પૂજા કરો અને તેમને ખવડાવો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

  • Follow us on: