નવરાત્રિના ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. અને તેમના પ્રાગટ્યની ગાથા અસુર મહિષાસુર સાથે જોડાયેલી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પ્રાચીન સમયમાં મહિષાસુર નામના રાક્ષસનો આતંક વધી ગયો હતો. તેના આતંકને કારણે ત્રણેય જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ભગવાને આપેલી અપાર શક્તિને કારણે મહિષાસુર વધુ શક્તિશાળી બની ગયો હતો. પોતાની તાકાતનો દુરુપયોગ કરી તેને દેવરાજ ઈન્દ્ર સહિત દેવતાઓને ગુલામ બનાવી સ્વર્ગ પર આધિપત્ય સ્થાપિત કર્યું હતું.


[[$googlead]]

અસુર મહિષાસુરના વધ માટે પ્રગટ થયા મા ચંદ્રઘંટા

ડરી ગયેલા દેવતાઓ ભગવાન બ્રહ્મા પાસે ગયા અને તેમની મદદ માંગી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે અત્યારે મહિષાસુરને હરાવવો સરળ નથી. બધા દેવતાઓ પહેલા સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમની પાસેથી સંમતિ લઈને મહાદેવ પાસે કૈલાશ પહોંચ્યા. સ્વર્ગના રાજા ઇન્દ્રની વાત સાંભળીને મહાદેવ ખૂબ જ ગુસ્સે થયા અને કહ્યું કે મહિષાસુર પોતાની શક્તિનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે. આ માટે તેને ચોક્કસપણે સજા થશે.

ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પણ ક્રોધિત થયા અને તેમના ક્રોધમાંથી પ્રકાશ પ્રગટ થયો. અને ભગવાન શિવે દેવી માતાને પોતાનું ત્રિશૂળ આપ્યું. ભગવાન વિષ્ણુએ તેમનું સુદર્શન ચક્ર આપ્યું. દેવરાજ ઇન્દ્રએ ઘંટડી પૂરી પાડી. આ રીતે બધા દેવતાઓએ તેમના શસ્ત્રો અને કવચ દેવી માતાને આપી દીધા. અને માતાના આ સ્વરૂપનું નામ પડ્યું ચંદ્રઘંટા...માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કરીને દેવતાઓની રક્ષા કરી હતી.

[[$alsoread]]

ભક્તોને અભય વરદાન આપનારી છે મા ચંદ્રઘંટા

દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે. માતાજીની દસ ભુજાઓમાં ધનુષ-બાણ, તલવાર, ત્રિશૂળ, ગદા, કમળ અને કમંડળ ધારણ કરેલાં છે.


  • Follow us on: