તમે સાંભળ્યું હશે કો લોકો બેંકમાંથી લોન લઈને ભરતા નથી અને આમ તેમ ભાગ્યા કરે છે. આવામાં આ સમસ્યાનો નિકાલ ખુદ બેંકીંગ સેક્ટરે કરી લીધો છે. ભારતીય સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા સહિત સમગ્ર દેશની 5 સરકારી બેંક મળીને એક નવી કંપની બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ઈટીના રિપોર્ટ પ્રમાણે આ કંપનીઓનું કામ ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયાથી ઓછી લોન અથવા તો રિટેલ અને MSME એ વસુલવુ પડશે. આ કામને પીએસબી અલાયન્સ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી આગળ વધારવામાં આવશે પરંતું તેના પહેલા એક કોનસેપ્ટ તૈયાર થશે.    


પાંચ બેંકનો સમાવેશ

ઈટીના રિપોર્ટ પ્રમાણે શરૂઆતના સમયમાં આમાં પાંચ બેંકનો સમાવેશ કરાશે. ત્યાર બાદ બીજી સરકારી બેંકો પણ આ પ્રોજેક્ટમાં જોડાશે. તેની પાછળનું કારણ નાની લોનની વસૂલી કરવાનું અને તેને વધારે અસરકારક બનાવવાનું છે. આ બાબતમાં જાણકારી રાખવાવાળા લોકોએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી ઋણદાતાઓને કોર બેંકીંગની હલચલો પર ધ્યાન રાખવામાં મદદ મળશે. આ પુરા પ્લાનની બ્લુ પ્રિન્ટ પણ કાઢવામાં આવશે. આ પછી જ તેને આગળ વધારવામાં આવશે

ઉધરાણી કરવી સહેલી થશે.

આનાથી બેંકોને સૌથી પહેલો ફાયદો એ થશે કે બેંક પોતાના કામ પર ફોકસ કરી શકશે. જો માની લો કે એક જ કસ્ટમરનું અલગ અલગ બેંકમાં લોન હશે તો તેની ઉઘરાણી વધુ સહેલી થઈ જશે. આ કંપનીનેશનલ અસેટ રિકન્ટ્રક્શન કંપની લિમિટેડની જેમ જ હશે. એક વાર આ પુરી રીતે તૈયાર થઈ જશે પછી જ સરકારી બેંકોની તેમાં ભાગીદારી થશે.  



  • Follow us on: